________________
ધાર્મિક ઉન્નતિ તો માનસિક સ્થિતિ અને હૃદયની તૈયારી ઉપર આધાર રાખે છે; છતાં જ્યાં અજ્ઞાન છે અને સંધ ચલાવવા છે ત્યાં બાહ્ય નિયમ કરવા પડે છે. બાહ્ય નિયમે માટે આગ્રહ રાખવો સહેલો હોય છે એટલે એનું મહત્ત્વ વધતું જાય છે; અને સમાજ પણ એ જ વસ્તુ પસંદ કરે છે. આંતરિક તૈયારીનું માપ બહારથી શી રીતે કઢાય? પરંતુ મોક્ષ માટે કેવલ બાહ્ય પાલનથી આવતી અલંબુદ્ધિ અથવા સંતેષ પ્રગતિને અટકાવનાર નીવડે છે. તેથી સ્થૂળ પાલનને સામાજિક ધર્મ તરીકે જ ઓળખવું જોઈએ.
આર્ય સંસ્કૃતિની બધી જ શાખાઓમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ જાતના સંયમો ઓછાવત્તા પ્રમાણમાં અને સૂમભેદ સાથે મહત્ત્વના ગણાય છે. સમાજમાં રહેવું તે દ્રોહ વગર રહેવું જોઈએ; જ્યાં દ્રોહ ટાળી ન શકાય ત્યાં ઓછામાં ઓછા દ્રોહથી જીવન ચલાવવાની ઉત્કટ ઇતજારી હોવી જ જોઈએ. મનુસ્મૃતિમાં બ્રાહ્મણધર્મ વિષે બોલતાં ગૃહસ્થ ધર્મનું એ જ લક્ષણ આપેલું છે –
મોૌ મૂતાનામ
अल्पद्रोहेण वा पुनः। या वृत्तिः तां समास्थाय
વિવો નીવેટુ બનાવો ગૃહસ્થજીવન એટલે કે સામાન્ય મનુષ્યજીવન હિંસા અને દ્રોહ વગર ચાલતું જ નથી. પણ દ્રોહ અને હિંસામય જીવનમાં કૃતાર્થતા નથી. માણસે જોયું અને શોધી કાઢ્યું કે હિંસા જેટલી ઓછી કરાય તેટલું જીવન પવિત્ર અને કૃતાર્થ થાય છે. જીવનનો પ્રવાહ વિકૃત કર્યા વગર હિંસાની માત્રા જીવનમાંથી દહાડે દહાડે કેમ ઘટાડાય એની શોધ અખંડ ચાલવી જોઈએ. કુદરતમાં તો હિંસા અખંડ
લી રહી છે. નવો વિય ગવનમ્ એ ન્યાય ત્યાં અનાદિ કાળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org