SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસસંશોધકને આ પ્રાચીન વાર્તાઓમાંથી જૂના કાળની સામાજિક સ્થિતિ વિષે કેટલીક માહિતી અવશ્ય મળી શકે છે. ગૃહપતિ મહાશતકની પત્ની રેવતી “અમાઘાત”૧ ને ઘોષ થયા પછી પણ રોજ બે બે ગાયના વાછરડા મારીને ખાવા માગે છે; ગૃહપતિઓ માતા કે સ્ત્રીના વધના પ્રમાણમાં પિતાના પુત્રના વધ વિષે ઓછી અસ્વસ્થતા રાખે છે; પત્ની પોતાની શક્યને વિષપ્રયોગ કરવાની પણ તૈયારી રાખે છે. આવી આવી કેટલીયે બીનાઓ સામાજિક ઈતિહાસની દૃષ્ટિએ ભેગી કરી શકાય. પહેલી જ વાર્તામાં ગૃહપતિ આનંદ રહેણીકરણીમાં જે સંયમના નિયમ લે છે, તે ઉપરથી પણ સમૃદ્ધ અને સમર્થ ગૃહસ્થાશ્રમીઓ શું ખાતા શું પીતા ઇત્યાદિ કેટલીયે માહિતી આવી જાય છે. એ ગૃહપતિએ પોતાની ઈચ્છાઓને મર્યાદિત કરવામાં પણ પિતાનું રસિયાપણું છેડયું છે એમ લાગતું નથી સારામાં સારી એક વસ્તુ રાખીને બાકીની વસ્તુ એણે છોડી દીધી છે. પોતપોતાના સંપ્રદાયમાં શિષ્યોને ખેંચવાની અબળખા જ્યારે સાધુઓમાં આવે છે, ત્યારે એની સામે બચાવ તરીકે ભિન્ન ધમએનું સાંભળીશ નહિ, એમનો સત્કાર કરીશ નહિ, એમને આશ્રય કે મદદ આપીશ નહિ, એવા વચનોર લેવાં પડે છે તેમાં આશ્ચર્ય શું! કોનવન, તબલીઘ, વટલામણ વગેરેને આશ્રય લઈ પોતાના સંપ્રદાયની સંખ્યા વધારવાના આ દિવસમાં ઉપરનાં વચનો ફરી જાગૃત થાય તે બંધાઈ નથી. ઈસ્લામને સ્વીકાર કર્યા પછી જે કોઈ પાછો જાય તે એને સંગસાર કરવો – પથરાને વરસાદ વરસાવી મારી નાખવો એવો નિયમ કેટલાક મુસલમાનોએ કર્યો હતો જ ને ! રાજાના દબાણથી, ન્યાત જેવા સમૂહના દબાણથી, દેવતાઓ બતાવેલી બીકની જબરજસ્તીથી, ગુરુના આગ્રહથી અથવા આજીવિકા મેળવવાની મુશ્કેલીરૂપ જંગલમાં સપડાયા હોઈએ ત્યારે ધર્માન્તર ૧. કોઈ હશે ને એવો ઢઢેરે. ૨. જુઓ પાન ૩૦-૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy