________________
પરિશિષ્ટ – મહાવીરશાલકની અંતિમ મુલાકાત ૧૩૯ કરે. પછી છ માસની છેલી રાત્રીએ મહા ઋદ્ધિવાળા મણિભદ્ર અને પૂર્ણભદ્ર એ બે દેવ પ્રગટ થાય. તેઓ શીતલ અને ભીના હાથ વડે આપણા શરીરને સ્પર્શ કરે. તેનું જે અનુમોદન કરીએ તો તે આશીવિષરૂપ નીવડે; અને ન કરીએ તો પોતાના શરીરમાં અગ્નિ ઉત્પન્ન થાય અને પોતાના તેજ વડે શરીરને બાળી નાંખે. પછી તે મનુષ્ય બુદ્ધ અને મુક્ત થાય. પરંતુ, હે આર્યો! ગોશાલકની એ બધી વાતો ખોટી છે; અને માત્ર પોતાના દોષ ઢાંકવા તેણે ઉપજાવી
કાઢી છે.”
• જૈન કથા કહે છે કે સાત રાત પૂરી થતાં, ગોશાલક પોતે મહાવીરના કરેલા દ્રોહ બદલ, તથા પિતે જિન ન હોવા છતાં પિતાને બહાર જિન તરીકે ઓળખાવ્યા બદલ પસ્તા કરતો મરણ પામે.
બીજી બાજુ, ભગવાન મહાવીર શ્રાવસ્તીથી નીકળી મે દ્રિક ગ્રામની બહાર આવેલા સાણકોટક નામે ચિત્યમાં આવીને ઊતર્યા. ત્યાં મહાવીરને મહાન પીડાકારી પિત્તવરનો દાહ ઉપડ્યો; અને તેમને લેહીના ઝાડા થવા લાગ્યા. એટલે લોકોને ખાતરી થવા લાગી કે હવે ગોશાલકના કહ્યા પ્રમાણે મહાવીર મૃત્યુ પામશે. તે જ અરસામાં (તેમનો જમાઈ) જમાલ પણ પોતાના મોટી સંખ્યાના અનુયાયીઓને લઈને મહાવીરથી છૂટો પડ્યો; અને ચારે તરફ એવી વાત જ ફેલાઈ ગઈ કે, મહાવીર મુઆ અને તેમનો સંઘ વેરણછેરણ થઈ ગયો.
તે સમયે ભગવાનને શિષ્ય સિંહ નામે સાધુ થોડે દૂર હાથ ઊંચે રાખી, છ ટંકના નિરંતર ઉપવાસરૂપી તપ કરતો હતો. લેકે માં ચાલતી આ બધી વાતો સાંભળી તેને બહું ઓછું આવ્યું, અને તેણે રુદન કરવા માંડ્યું. ભગવાન મહાવીરે એ વસ્તુ દૂરથી જાણી લઈ, તેને પોતાની પાસે બોલાવી મંગાવ્યા, અને તેને આશ્વાસન આપતાં જણાવ્યું કે, “હું હમણાં કાંઈ મરણ પામવાનો નથી; હજુ તે હું બીજા ૧૬ વર્ષ જીવવાનો છું. માટે તું મૅટ્રિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org