________________
૧૨૮ ભગવાન મહાવીરના દશ ઉપાસકે
ઉપરના ફકરામાં અવતરણચિહમાં આપેલી દલીલ જનો સામે જ છે, એ ઉઘાડું છે. ગોશાલકને કટાક્ષ પૂર્વકર્મોને નિયત ગણ, તેથી થતાં સુખદુઃખને પણ અપરિહાર્ય ગણી, તેમાંથી છૂટવાના સર્વ પ્રયત્નને નિરર્થક ગણી, નવા પુરુષાર્થ તરફ ધ્યાન આપવા તરફ લક્ષ ખેંચવા માટે હોય, એમ બની શકે. ગોશાલકના છ અભિજાતિ તથા આઠ પુરુષભૂમિના સિદ્ધાંતનો બૌદ્ધ ગ્રંથમાં જે ઉલ્લેખ મળે છે, તે ઉપરથી ગોશાલક નર્યા નિયતિવાદને બદલે અમુક
૧. સરખા ગીતા માત્રાસ્તુ તેય શોતોમુલકલા ! आगमापायिनोऽनित्यास्तांरिततिक्षस्व भारत ॥
૨. જેમકે, ગોશાલક મનુષ્યમાત્રને છ અભિજાતિઓમાં વહેંચી નાખે છે –
(1) કૃષ્ણભિજાતિ–ર કાર્ય કરનાર, ખાટકી, પારધી, શિકારી, ચેરડાકુ અને ખૂની વગેરે લોકો
(૨) નીલાભિજાતિ – બૌદ્ધ ભિક્ષુકો. (૩) હિતાભિજાતિ–એક વસ્ત્રધારી નિગ્રંથ (મહાવીરના શિખ્યો.) (૪) હરિદ્રાભિજાતિ – સ્વચ્છ વસ્ત્રધારી અચેલક (આજીવિક) શ્રાવકો. (૫) શુકલાભિજાતિ–આજીવિક સાધુઓ.
(૬) પરમશુકલાભિજાતિ–નંદવચ્છ, કિસસંકિચ્ચ તથા મકખલિ શાલ એ આજીવિક આચાર્યો.
આઠ પુરુષભૂમિનું વર્ણન આ પ્રમાણે છે – (૧) મંદભૂમિકા– જમ્યા પછીના જેવી મૂઢ સ્થિતિ, (૨) ક્રીડાભૂમિકા – સારાસાર, હિતાહિતના વિચાર વિનાની સ્થિતિ. (૩) પદવીમ સાભૂમિકા–પગ માંડવાની સ્થિતિ, (૪) ઉજુગતભૂમિકા–પગથી સ્વતંત્ર ચાલવાના સામર્થ્યવાળી સ્થિતિ, (૫) સેખભૂમિ – શીખવાની, અભ્યાસની સ્થિતિ. (૬) સમણભૂમિ – ઘરનો ત્યાગ કરી સંન્યાસ લેવાની સ્થિતિ. (૭) જિનભૂમિ – આચાર્યને સેવી જ્ઞાન મેળવવાને સમય.
(૮) પન્ન (પ્રા) ભૂમિ – પ્રાણ થયેલો ભિક્ષુ (જિન) જ્યારે કાંઈ પણ નથી બોલતો, તેવી નિર્લોભ શ્રમણની સ્થિતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org