SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ભગવાન મહાવીરના દશ ઉપાસકે સારે વા નરસે, રસીલે વા રસહીન ખેરાક મળ્યો હોય તેને નિરપક્ષપણે ખાઈ લેનારા કહે છે ભગવતીસૂત્ર પોતે જ (૮-૫) આજીવિક સાધુઓ તો શું પણ આજીવિક ગૃહસ્થને જ ઊંબરે-વડ-બોર-સતર પીપળે વગેરેનાં ફળ ન ખાનારા, ડુંગળી-લસણ વગેરે કંદમૂલના વિવર્જક અને ત્રસ પ્રાણની હિંસા ન થાય તેવા વ્યાપાર વડે આજીવિકા કરનારા જણાવે છે. મહાવીર તો તેમને દાખલે આપી પિતાના શ્રમણોપાસકેને એ બાબતમાં ધડો લેવાનું સુધ્ધાં જણાવે છે ! એટલે આજીવિકા માટે સાધુ થયેલા હોવાથી “આજીવિક’ એવો અર્થ કરવાને બદલે એ અર્થ સમજવો જોઈએ કે, ધર્મજીવનની બીજી બાબતો કરતાં આજીવિકાના નિયમો ઉપર વધારે પડત ભાર મૂક્તા હોવાથી (સમ્યક્ + આજીવ) તેઓ આજીવિક કહેવાતા હશે. ૨. ગેસલકને આજીવિક સિદ્ધાંત ગોશાલકના આજીવિક સિદ્ધાંતનું સળંગ નિરૂપણ કરતો એક પણ ગ્રંથ આજે વિદ્યમાન નથી. જે કાંઈ ઉલ્લેખો અત્યારે મળે છે, તે તેના પ્રતિસ્પર્ધીઓના –અર્થાત જૈન અને બૌદ્ધોના ગ્રંથોમાં જ સંઘરાયેલા છે. જન સિદ્ધાંત અમુક જીને કાયમને માટે “અભવ્ય” ઠરાવે છેતેઓને કર્મસંગ્રહ અનાદિ અનંત છે, તેથી તેઓ કદી પણ મોક્ષ પામવાના નથી [ભગવતી, શતક ૬, ઉદ્દે ૩]. તેથી ઊલટું ગોશાલક એવા મતને છે કે, ગમે તેવા કર્મબંધનવાળા હોવા છતાં તમામ છવો ગમે તેટલું રખડીને પણ છેવટે મુક્તિ પામવાના જ છે. આને અંગે તે પોતાની સૂતરના દડાની સુપ્રસિદ્ધ ઉપમા આપે છે. જે પ્રમાણે સૂતરને દડો ફેંકતાં તે ઊકલી રહે ત્યાં સુધી જ જાય, તે પ્રમાણે ૮૪ લાખ મહાકલ્પના ફેરામાં ગયા પછી ડાહ્યા અને મૂર્ખ તમામના દુ:ખનો નાશ થાય છે જ.૧ ૧. દીઘનિકાય, સામખ્ખફલસુત્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy