SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ: ૧૧ ૧૧૯ ઓળખાવવામાં આવ્યું છે. ત્યાંથી ભગવાન વિહાર કરીને મદ્દણ ગામે ગયાની હકીક્ત આવે છે. બીજો ઉલ્લેખ સંગમદેવના ઉપસર્ગ થયા પછી ભગવાન આલભિકામાં આવે છે એ છે. ત્યાંથી ભગવાન સ્વેતામ્બીમાં (કેક્ય દેશની રાજધાનીમાં) અને પછી સાવથીમાં (કુલાર્ણ દેશની રાજધાનીમાં) જાય છે. આ બીજા ઉલ્લેખ ઉપરથી માલમ પડે છે કે આલભિકા નગરી તામ્બી પાસે હોવી જોઈએ. આલાભકા માટે આ સિવાય વધારે આધાર મહાવીર સ્વામીના વિહારવર્ણનમાં મળતો નથી. પરંતુ બૌદ્ધ ગ્રંથોમાં એ વિષે વધારે સ્પષ્ટ ખુલાસે મળે છે. ભગવાન બુદ્ધનો વિહાર આલવિયામાં થયાને ઉલ્લેખ સુત્તપિટકમાં મળે છે. સુત્તનિપાતના ઉરગસુત્તમાં આલવિ નામના એક જંગલના નિર્દેશ છે અને ધમ્મપદની ટીકામાં આવિ નામની નગરીનો ઉલ્લેખ છે. તે જંગલ કે તે નગરી બંને એક જ છે તેમાં સંદેહ નથી. અને એ તથા જૈનસાહિત્યની આ આલમિકા એ બંને એક જ છે. આલવિયા ક્યાં આવી એ પ્રશ્નના નિર્ણય માટે નીચેના પુરાવા બસ થશે. ફાહ્યાન પોતાની મુસાફરીના વર્ણનમાં લખે છે કે કનોજથી અલવી ૨૧ માઈલ છેટું છે અને ત્યાંથી સાકેતનો સીમાડા (અયોધ્યા) ૭૦ માઈલ દૂર છે. ઉપરાંત તે અલવીને ગંગાને પૂર્વ કિનારે હેવાનું જણાવે છે. અલવી પહોંચ્યા પછી તેણે ત્યાંના લેકને ઉપદેશ કર્યાનું તેના પ્રવાસના વર્ણનમાં લખેલ છે. વધારામાં એમ પણ લખેલ છે કે અલવક નામને એક યક્ષ ત્યાં રહેતો હતો. તે ત્યાં કેટલાક સ્તૂપો હોવાનું પણ જણાવે છે. ફાલ્યાને પોતાના વર્ણનમાં તો અલવીને એક અરણ્ય તરીકે જ જણાવેલું છે. પરંતુ તેની ત્યાં ઉપદેશ કર્યાની હકીકત ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તે જંગલમાં અથવા તેની આસપાસ નજીકમાં વસતી હોવી જોઈએ કે જે અલવી ગામ તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy