SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ: ૮ ૧૧૭ બર્તાવેલો છે તે રીતે મનુસ્મૃતિમાં પણ બ્રાહ્મણને તેવી કેટલીક પ્રવૃત્તિનો નિષેધ બતાવ્યો છે. તેમાં લખ્યું છે કે “બ્રાહ્મણે રસને, રાંધેલા અન્નને, તલન, પથ્થરેનો, મીઠાને, પશુને, મનુષ્યનો, બધી જાતનાં રંગેલાં કપડાંને, ફળને, મૂળા, ઔષધિને, પાણીનો, શસ્ત્રને, વિષને, માંસને, સોમના, ગંધને, દૂધનો, મધના, મીણનો, દહીં, ઘીનો, તેલનો, ગોળનો, દાભનો, જંગલી પશુઓને, બધાં દઢવાળાં જાનવરેનો, પક્ષીઓનો, દારૂ, એક ખરીવાળાં પશુઓનો, ગળીને અને લાખનો વેપાર નહિ કરે.” અંગુત્તરનિકામાં લખ્યું છે કે બુદ્ધના ઉપાસકે શસ્ત્રો, પ્રાણીએને, માંસને, મને અને વિષને વેપાર નહિ કરો.” હિ. નં. ૮: શ્રમણે પાસક આનંદઃ આવશ્યકની ટીકામાં લખ્યું છે કે શ્રમણભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થામાં હતા ત્યારે ફરતા ફરતા વૈશાલિથી વાણિજ્યગ્રામમાં આવ્યા. તે વખતે ત્યાં આનંદ નામને શ્રાવક છઠ છઠના તાપૂર્વક રહેતો હતો. તેને અવધિજ્ઞાન થયેલું હતું. તેણે ભગવાન મહાવીર ભવિષ્યના તીર્થકર છે એમ સમજીને તેમને વંદન કર્યું અને કહ્યું કે તમને આટલા વખત પછી કેવળજ્ઞાન થશે. આ ઉપરથી માલૂમ પડે છે કે એક આનંદશ્રાવક ભગવાન મહાવીર કેવળી થયા ત્યાર પહેલાં પણ તેમને મળેલ હતો. ટિ. ન. ૯ : સોધમક૯પમાં આનંદનું આયુષ્યઃ મૂળમાં તે સ્વર્ગમાં આનંદ ચાર પલ્યોપમ વર્ષો રહેશે એમ જણાવ્યું છે. સંખ્યાથી નહીં પણ ઉપમાથી જ સમજી શકાય એવી વર્ષોની એક ગણતરીને “પલ્યોપમ’ કહેવામાં આવે છે. જેમકે, અમુક કદના ખાડાને ઝીણામાં ઝીણા વાળના ટુકડાઓથી ઠાંસીને ભરે, અને તેમાંથી દર સો વર્ષે એક એક ટુકડો કાઢે. એ રીતે તે ખાડે ખાલી થતાં જે વખત લાગે છે તે પોપમ વર્ષ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy