________________
ટિપ્પણ: ૪
૧૧૫ મનુસ્મૃતિમાં પણ આ પ્રકારે ચાર વૃત્તિઓ જણાવેલી છે. પરંતુ તેમાં ત્રીજી વૃત્તિ “ત્રિ-આહિક” (એટલે કે ત્રણ દિવસ ચાલે તેટલું ઉપાર્જન કરી રાખવું તે) છે અને ચોથી અશ્વસ્તનિક છે.
વળી તેમાં લખ્યું છે કે, ગૃહસ્થ પિતાના કુટુંબન નિર્વાહ થાય તે માટે ધન ઉપાર્જન કરવું પરંતુ ભોગ માટે ન કરવું. અને તે પણ અનિંદિત ઉપાયોથી, પ્રાણીઓને દ્રોહ કર્યા વિના અથવા તે બહુ જ થોડો કરીને કરવું. ગૃહસ્થ પોતાના જીવનવ્યવહાર ઋતથી, અમૃતથી, મૃતથી, પ્રમૃતથી કે સત્યાનૃતથી ચલાવવો પરંતુ કોઈ દિવસ શ્રવૃત્તિથી ન ચલાવે. ઋત એટલે કે ખેતરમાંથી પાક ઘેર લાવતાં જે દાણા ત્યાં વેરાયેલા પડી રહે, તથા જેમની તેમના માલિકને અપેક્ષા નથી તેમના વડે નિર્વાહ ચલાવવો તે. અમૃત એટલે માગ્યા વિના મળે તેનાથી વ્યવહાર ચલાવવો તે મૃત એટલે માગીને વ્યવહાર ચલાવવો તે. અમૃત એટલે ખેતી. સત્યાગ્રુત એટલે વેપારવાણિજ્ય અને શ્વવૃત્તિ એટલે નોકરીચાકરી. ટિ. ન. ૪ઃ અતિચારે?
જે જાતનાં ખૂલનોથી કોઈ પણ સ્વીકારેલ ગુણ મલિન થાય અને ધીરે ધીરે હાસ પામી ચાલ્યો જાય તેવાં ખૂલને અતિચાર કહેવાય છે.
જે માણસ સ્કૂલ હિંસાનો ત્યાગ કરે, તે, સંભવ છે કે “કેાઈની પાસે ગજા ઉપરાંત કામ કરાવવું”, “કેઈને માર મારવો”, કે “લેકમાં ભૂખમરે વધે એવી આડકતરી રીતે પ્રવૃત્તિ કરવી”, એ બધી પ્રવૃત્તિને સ્થૂલહિંસા ન પણ સમજે. કારણ કે એ એમ માનતે હેય કે એમાં કોઈનું મેત ક્યાં થાય છે? એ જ પ્રમાણે સ્કૂલમૃષાવાદના ત્યાગની પ્રતિજ્ઞાવાળા ખેટા દસ્તાવેજો લખે અને એમ કહે કે “એમાં હું ખોટું ક્યાં બોલું છું? મારે તે બોલવાની બાધા છે, લખવાની નથી.” આ જાતનાં વિવેકશન્ય માણસોને સ્કૂલહિંસાના ત્યાગ વગેરેની પ્રતિજ્ઞામાં બીજે પણ કેટલો ત્યાગ કેળવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org