________________
૧૨ ભગવાન મહાવીરના દશ ઉપાસકે ટિ ન. ૩: સાત શિક્ષાવતે - આનંદને ભગવાન મહાવીરના પ્રવચન ઉપર રુચિ થયા પછી તેણે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવતવાળો બાર પ્રકારનો ગૃહિધર્મ સ્વીકારવાને વિચાર ભગવાન મહાવીરને કહી બતાવ્યો. આ જ પ્રમાણે તેણે તેની સ્ત્રી શિવનંદાને ગૃહિધર્મ સ્વીકારવાની ભલામણ કરી. આ રીતે ગૃહિધર્મ બાર પ્રકાર છે એ ઉલ્લેખ આ સૂત્રમાં અનેક સ્થળે આવે છે. તેના બાર પ્રકાર ક્રમવાર આ સૂત્રમાં ગણુંવેલા જણાતા નથી, પણ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત એમ બાર વતની મઘમ સંખ્યા બતાવવામાં આવી છે. પરંતુ ઉવવાય સૂત્રમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત, એમ બાર વ્રતની સંખ્યા બતાવવામાં આવી છે. આ સૂત્રમાં પાંચ અણુવ્રતને ઉલ્લેખ તે તેમના સ્વરૂપ સાથે સ્પષ્ટ ઉપલબ્ધ છે. પણ તે પછીનાં સાત શિક્ષાવતો વિષે સ્પષ્ટ માહિતી આપેલી નથી.
સૂત્રમાં અણુવ્રતો વગેરેની જે માહિતી આપેલી છે, તે મૂળ શબ્દોમાં આ પ્રમાણે છે –
[૧] સ્કૂલપ્રાણાતિપાત પ્રત્યાખ્યાન [૨] સ્કૂલમૃષાવાદપ્રત્યાખ્યાન [3] સ્થૂલ અદત્તાદાનપ્રત્યાખ્યાન [૪] સ્વદારસંતોષપરિમાણ [૫] ઈચ્છાવિધિપરિમાણું.
[ ઈચ્છાવિધિપરિમાણના પટામાં (૧) હિરણ્યસુવર્ણવિધિપરિમાણ (૨) ચતુષ્પદવિધિપરિમાણ (૩) ક્ષેત્રવાસ્તુવિધિપરિમાણ (૪) શકટવિધિપરિમાણ અને (૫) વહાણુવિધિપરિમાણને સમાવેશ કરેલે છે.] | [] ઉપભોગપરિભોગવિધિપરિમાણ. [] ભોજનવિધિપરિ માણ [૮] અનર્થદંડ પ્રત્યાખ્યાન. ( [ ઉપભોગપરિભેગવિધિના પરિમાણમાં (૧) ઉલ્લણિયાવિધિપરિમાણ (૨) દતવણુવિધિપરિમાણ (૩) લવિધિપરિમાણ (૪) અભંગનવિધિપરિમાણુ (૫) ઉદવર્તનવિધિપરિમાણ (૬) મજજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org