________________
૧. કુડકેલિક કુંડકેલિક શ્રમણે પાસકે આમ કહ્યું એટલે પેલે દેવ પોતે જ શકિત થઈ ગયો અને તેનું ચિત્ત ડહોળાઈ ગયું. તેથી તે એને કંઈ જવાબ આપી શક્યો નહીં. પછી પિતે ઉપાડી લીધેલાં કુંડલિકનાં નામમુદ્રા અને ઉતરીય વસ્ત્રને ચબૂતરા ઉપર પાછાં મૂકી, તે જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછે ચાલ્યો ગયો. [૧૭૦]
એ અરસામાં શ્રમણભગવાન મહાવીર ફરતા ફરતા પાછા કપિલપુર આવી પહોંચ્યા. તેમને આવેલા જાણી કુંડકેલિક હર્ષ પાપે, અને બીજા સૌ સાથે ભગવાનને વંદન-નમસ્કાર કરવા ગયા. ભગવાને સૌને ધર્મકથા કહીઃ
“જગતમાં કેટલાય વાદીઓ વિક્ષના હેતુરૂપ સદ્ધર્મને જાણતા નથી; તેઓ વિવિધ ભાગોમાં આસક્ત રહી, ગમે તેવી પ્રવૃત્તિઓ આચરતા હોય છે, અને વૈરબંધન ઊભું કર્યા કરતા હોય છે. તેઓને પોતાના એાછા થતા જતા આયુષ્યની પણ પરવા હોતી નથી; મમતાના માર્યા ગમે તેવાં સાહસ આચરતા તે મંદબુદ્ધિ લેકે પોતે અજરામર હોય તેમ રાતદિવસ ભેગની કામનાથી તપ્યા કરે છે. અને છતાં તેઓને પૂછો તો ઝટ મોક્ષમાર્ગ ઉપદેશવા મંડી જાય છે, અને “અમારે મતે આત્મા નિષ્ક્રિય છે કે “કિયા જ ફલદાયક છે, જ્ઞાનની જરૂર નથી, અથવા “જ્ઞાન જ ઉપયોગી છે, ક્રિયાની કંઈ જરૂર નથી.” એવા વાદે કહ્યા કરે છે.૧
૧ સૂત્રકૃતાંગ અશ્ચ૦ ૧૦,૧૬-૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org