SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ભગવાન મહાવીરના દશ ઉપાસકે ગોથી કદી તૃષ્ણા શમી શકતી નથી. વળી તે મહાભયરૂપ તથા દુઃખના કારણરૂપ છે, માટે તેમની કામના છોડી દે તથા તેમને માટે કેઈને પીડા ન કરે. પિતાને અમર જે માનતો જે માણસ ભેગોમાં મહા શ્રદ્ધા રાખે છે, તે દુઃખી થાય છે. માટે તૃષ્ણાને ત્યાગ કરે. કામોનું સ્વરૂપ અને તેમનાં વિકટ પરિણામે ન સમજતે કામકામી અંતે રડે છે, અને પસ્તાય છે. વિષયકષાયાદિમાં અતિ મૂઢ રહે તે માણસ સાચી શાંતિના મૂળરૂપ ધર્મને ઓળખી જ શકતું નથી. માટે, એ મહામેહમાં બિલકુલ પ્રમાદ ન કર. હે ધીર પુરુષ! તું આશા અને સ્વચ્છેદને ત્યાગ કર. તે બેનું શૂળ સ્વીકારીને જ તું રખડ્યા કરે છે. સાચા શાંતિના સ્વરૂપને અને મરણને વિચાર કરીને, તથા શરીરને નાશવંત જાણીને કુશળ પુરુષ કેમ કરીને પ્રમાદ કરે? જે મનુષ્ય ધ્રુવ વસ્તુ ઈચ્છે છે, તેઓ ક્ષણિક તથા દુઃખરૂપ ભેગજીવનને ન ઈ છે. જન્મ અને મરણને વિચાર કરીને બુદ્ધિશાળી મનુષ્ય દઢ એવા સંયમમાં જ સ્થિર થવું, તથા એક વાર સંયમ માટે ઉત્સુક થયા બાદ, અવસર ઓળખી એક મુહૂર્ત પણ પ્રમાદ ન કરે. જેઓ કામગુણોને ઓળંગી જાય છે, તેઓ ખરેખર મુક્ત છે. અકામ વડે કામને દૂર કરતા તેઓ, પ્રાપ્ત થયેલા કામગુણમાં પણ ખૂંચી જતા નથી.” ૧ ભગવાનનું પ્રવચન સાંભળી, કુંડલિકે પણ કામદેવ ઉપાસકની પેઠે હુષ્ટ, તુષ્ટ, અને પ્રસન્ન થઈ ભગવાન પાસેથી ૧. આચારાંગ: અધ્ય૦ ૨, લોકવિજય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy