________________
સૂયગડાંગ સૂત્રના સથવારે : ભાગ-૨ આતમ જાગો ! અલ્પાક્ષરી પરિચય
આગમને જાણવાનું તે આતમને જગાડવા ! અનાદિકાળથી મોહની મીઠી નિંદરમાં સૂતેલા આપણા આતમરામને જગાડી, આગમ-અરીસામાં સ્વરૂપને જોઈ પોતાને વળગેલાં જુદાં જુદાં બંધનોને જાણવાનો અને તે બંધનોને તોડી શાશ્વત સુખાનંદને માણવાનો સંદેશો આ વિભાગ આપે છે.
કુલ દસ પ્રવચનો આ માટે જ પ્રયોજાયાં છે. પહેલા જ પ્રવચનમાં ‘સમય’ અધ્યયનના પ્રારંભને નિમિત્ત બનાવી ‘સમય’ શબ્દના જૂદા જૂદા અર્થ બતાવ્યા છે. “બોધ” આપનારાં વચનો કેટલાં દુર્લભ છે, તે અહીં અનેક દૃષ્ટાંતો સાથે સમજાવેલ છે. ત્યારબાદ અનાદિથી ચાલતું ભવભ્રમણ મૂર્તિમંત કરતું બીજું પ્રવચન ફરમાવ્યું છે.
બોધ પામેલ આત્માનો બંધનને જાણવાનો અને તોડવાનો પુરુષાર્થ રજુ કરતું ત્રીજું પ્રવચન છે તો ચોથામાં શ્રી સુધર્માસ્વામીજીએ જે જંબૂકમારને જગાડ્યા તેમનો દિલવેધક જીવનવૃત્તાંત રજુ થયો છે. પાંચમું પ્રવચન “મિથ્યાત્વ' બંધનને ઓળખાવી “અવિરતિ બંધનનો ય પરિચય આપે છે.
છઠ્ઠા પ્રવચનમાં “કષાય' બંધનની ભયાનકતાની તાસિર રજુઆત પામી છે. સાતમાં પ્રવચનમાં અવિરતિની સુંવાળપ અને “પરિગ્રહ” બંધનનો પરિચય કરાવાયો છે. આઠમું પ્રવચન અનેકપ્રકારે “પરિગ્રહને બંધનરૂપ પુરવાર કરે છે તો નવમા પ્રવચનમાં પરિગ્રહે કરેલ આત્માની બેહાલીને આબેહુબ વર્ણવી છે. છેલ્લા પ્રવચનમાં પરિગ્રહ બંધનને નાથવાના ઉપાયો વર્ણવવામાં આવ્યા છે.
પહેલાં પ્રવચનો સુધી પહેલા અધ્યયનના પહેલા ઉદ્દેશાની પહેલી ગાથા જ વિવેચના પામી છે. તો છેલ્લા ચાર પ્રવચનો બીજી ગાથા ઉપર પણ વિવેચના ધરાવે છે.
આત્મા જાગે નહિં ત્યાં સુધી બંધનને જાણે કે તોડે નહિં માટે આત્માને જગાડવાની મુખ્યત્વે વાત કરતા આ વિભાગનું નામકરણ “આતમ જાગો !” કરવામાં આવ્યું છે.
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org