SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ 12 -- ૧ - આગમ જાણો! ર દિ દીનવં નામ તિથેશ: I' તિથિ ક્ષય એટલે તિથિનો નાશ એમ નથી જ.' માટે તે જ્યારે એટલે કે જે દિવસે વિદ્યમાન હોય, ચાલુ હોય તે દિવસે તેને લગતી આરાધના કરવી જોઈએ. જ્યારે એટલે જે દિવસે તે ન જ હોય તે દિવસે તેને લગતી આરાધના કરવાનો કોઈ અર્થ રહેતો નથી. જેમ જે તિથિ સૂર્યોદય સમયે હોય તેની આરાધના તે દિવસે કરવી જોઈએ, તેમ જે તિથિ સૂર્યોદય સમયે ન હોય તે તિથિ જે દિવસે હોય તે દિવસે જ તેની આરાધના કરવી જોઈએ. * માટે જ “તત્ત્વતરંગિણી' નામના ગ્રંથમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે - ‘xxયં સુર્યોદયવાણ સમારે ય તિથિઃ a gવ સૂર્યોદયસ્તરાત્તિ મામ્ xx' જે સૂર્યોદયને પામીને જે તિથિ સમાપ્ત થાય છે તે જ સૂર્યોદય તે તિથિ માટે પ્રમાણ કહેવાય છે.' સૂર્યોદય સમયે જે તિથિ વિદ્યમાન ન હોય, તેવી ક્ષયતિથિ પોતાની આગળની ઔદયિક તિથિના દિવસે જ ભોગવાતી હોવાથી તેની હાજરીમાં જ તેની આરાધના કરવી જોઈએ. સભા: સાહેબજી ! દાખલો આપીને સમજાવો તો જરા સહેલું પડે. જેમ કે સોમવારે સૂર્યોદય સમયે સાતમ તિથિ છે અને મંગળવારે સૂર્યોદય સમયે નોમ તિથિ છે. આઠમ તિથિ સોમવાર કે મંગળવારમાંથી એક પણ વારના સૂર્યોદય સમયે નથી. એટલે સોમવારે ઔદયિક સાતમ છે. મંગળવારે ઔદયિક નોમ છે અને સોમવારે ઔદયિક સાતમ પૂરી થયા પછી ઉદય વગરની આઠમ શરૂ થાય છે અને તે મંગળવારની ઔદયિક નોમ પહેલાં પૂરી થાય છે. આથી સોમવારે ઔદયિક સાતમની આરાધના પણ કરવાની અને અનીદયિક છતાં વિદ્યમાન એવી આઠમની પણ આરાધના કરવાની. એટલે જે જે તિથિનો ક્ષય હોય તે તે તિથિની આરાધના તેના આગળના વારે રહેલ ઔદયિક તિથિની સાથે કરવાની છે. આ રીતે ક્ષયતિથિની વાત કર્યા પછી હવે આપણે વૃદ્ધિતિથિની વાત કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy