SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ૧ - આગમ જાણો ! 70 પ્રશસ્ત કાળમાં જ આરાધના કરવી જોઈએ. એ માટે કાળના એક અંગભૂત તિથિને અનુરારીને જે જે આરાધના કરવાની છે, તેમાં ઔદયિક તિથિની જ આરાધના કરવી જોઈએ અને અનૌદયિક તિથિને છોડવી જોઈએ. આ રીતે ઔદયિક તિથિનો આદર કરવાથી જિનાજ્ઞાનો આદર થાય છે અને એ દ્વારા ઈચ્છિત સિદ્ધિ થાય છે તથા આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના જેવા મહાદોષોથી પોતાની જાતને બચાવી શકાય છે. વૃદ્ધિ અને ક્ષયમાં અપવાદ નિયમ : સભા: “ઔદયિક તિથિની જ આરાધના કરવી અને અનોદયિક તિથિની આરાધના કેમ ન કરવી” એ તો સમજાણું પણ હવે નવો પ્રશ્ન એ થાય છે કે, “જે તિથિ બે દિવસ સુધી સૂર્યના ઉદય સમયે હોય, તો શું બે દિવસ તે તિથિની આરાધના કરવી અને જે તિથિ એક પણ દિવસના સૂર્યોદય સમયે ન હોય તેની આરાધના ન જ કરવી ? આવી સ્થિતિમાં શું કરવું જોઈએ ? પહેલાં એક મુદ્દો સમજી લો કે જે તિથિ બે દિવસના સૂર્યોદય સમયે હોય તેવી તિથિને “વૃદ્ધિતિથિ' કહેવાય છે અને જે તિથિ એક પણ દિવસના સૂર્યોદય સમયે ન હોય તેવી તિથિને “ક્ષયતિથિ' કહેવાય છે. વૃદ્ધિતિથિની આરાધના બે દિવસ કરવાની હોય છે, - એવું પણ નથી અને ક્ષયતિથિની આરાધના ક્યારેય પણ કરવાની નથી હોતી - એવું નથી. વૃદ્ધિતિથિની આરાધના બે દિવસમાં નહિ પણ એક જ દિવસ કરવાની હોય છે અને તે, તે બે દિવસ પૈકીના બીજા એટલે છેલ્લા દિવસે કરવાની હોય છે અને ક્ષયતિથિની આરાધના નથી કરવાની એવું નથી, પણ તે તિથિ જે દિવસે હોય તે દિવસે કરવાની છે. સભા તો એમ કરવાથી ઔદયિક તિથિની આરાધના કરવાની અને અનૌદયિક તિથિની આરાધના નહિ કરવાની, એવી આજ્ઞાનો ભંગ નહિ થાય ? કારણ કે જે તિથિ બે દિવસના સૂર્યોદય સમયે હોય તે બે દિવસમાંથી પહેલા દિવસે ઔદયિક તિથિ હોવા છતાં તેની આરાધના ન કરીએ તો ઔદયિક તિથિની આરાધના ન કરવાનું પાપ લાગે કે નહીં અને જે તિથિ સૂર્યોદય સમયે હોય જ નહિ, તેવી અનોદયિક તિથિની આગળના દિવસે આરાધના કરીએ તો તે દિવસે ઔદયિક તિથિની આરાધના ઉપરાંત અનદયિક તિથિની આરાધના કરવાથી અનોદયિક તિથિની આરાધના કરવાનો દોષ લાગે કે નહિ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy