SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પઃ આટાઘનામાં તિથિનું મહત્વ અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંતશ્રી સુધર્માસ્વામીજી મહારાજા દ્વાદશાંગી પૈકીના બીજા અંગ આગમ સૂયગડાંગ સૂત્રના માધ્યમથી પરમતારક પરમાત્મા શ્રીમહાવીરદેવે સ્વસમય અને પરસમયનો જે ભેદ બતાવ્યો છે, પરસમય ત્યજીને સ્વસમયમાં સ્થિર થવાનો માર્ગ બતાવ્યો છે, તેનું અદ્ભુત રીતે વર્ણન કરી રહ્યા છે. આ મહાન આગમનાં રહસ્યો સમજાવવા માટે તેના ઉપર ચૌદ પૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીજીએ “નિર્યુક્તિની રચના કરી છે તો અન્ય પૂર્વાચાર્ય મહર્ષિએ “ચૂર્ણિ'ની રચના કરી છે અને એ જ રીતે એના ઉપર પૂજ્ય આચાર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજે “ટીકા પણ રચી છે. આ મહાન ગ્રંથનું જેણે અધ્યયનાદિ કરવું હોય તેણે કેવી લાયકાત કેળવવી જોઈએ તેનું ચૂર્ણિકાર મહર્ષિએ સુંદર માર્ગદર્શન આપ્યું છે. અધ્યયન પૂર્વેની કાળજી : આ મહાન આગમ અને આગમના પદાર્થો જેણે પીરસવાના છે અને જેણે ઝીલવાના છે, તે બંનેએ કેવી કાળજી લેવી જોઈએ તેની વાત કરતાં પહેલે નંબરે આલોચનાની વાત કરી છે. આગમની વાંચના જેણે લેવી છે અને જેણે આપવી છે તે બંનેએ જીવનમાં થયેલા પાપોની, દોષોની આલોચના કરીને શુદ્ધિ કરવી જોઈએ. બીજા નંબરે જેણે શ્રવણ કરવું છે તે સ્વયં વિનીત હોવો જોઈએ. તેમ જણાવ્યું છે, જે વાત આપણે કરી ગયા છીએ. એ જ રીતે ત્રીજા નંબરે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy