SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ – ૧૧ સૂયગડાંગ: પહેલા શ્રુતસ્કંધના ૧ થી ૯ અધ્યયનોનું અવલોકન-11 – 237 જેઓ પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગોમાં હલી જાય છે, તેમને નરકનાં કેવાં અને કેટલાં દુઃખો સહવા પડે છે. એની વાત સાંભળી ડરી ગયેલા સાધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રભુ વીરનું જીવન ચરિત્ર આ અધ્યયનમાં વર્ણવવામાં આવ્યું છે. ચરમતીર્થપતિ પ્રભુ મહાવીરે સાધનાનો પ્રારંભ કર્યો, ત્યારે તેમને કેવા-કેવા ઉપસર્ગો આવ્યા. તેમાં તેમણે કેવું સત્ત્વ દાખવ્યું ? કેવી સમતા રાખી ? કેવી ધીરતા ને સ્થિરતા દાખવી ? પરમાત્મા જેવા પરમાત્મા પણ સ્ત્રીઓથી કેવા અળગા અને સાવધ રહ્યા ? - તે વાતોને જણાવતા કહ્યું કે “જો ભગવાન જેવા ભગવાન મહાવીરદેવે પણ આ સહન કર્યું તો સાધક તરીકે તમારું શું કર્તવ્ય છે ? તમારે શું કરવું જોઈએ ? - તે સમજી શકાય તેમ છે.” આ અધ્યયનમાં સાધકને તેનો બોધ કરાવ્યો છે. આજે આપણો સમય પૂરો થયો. હજુ એક અધ્યયનનો પરિચય બાકી રહ્યો. સાતમા કુશીલ પરિભાષા વગેરે અધ્યયનોની વાત આપણે હવે પછી ક્રમશઃ જોઈશું. (અ. વ. ૧૪, બુધવાર, તા. ૭-૮-૦૨ના તપાગચ્છાધિરાજ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની સ્વર્ગતિથિ હોઈ ગુણાનુવાદ પ્રવચન થયેલ. અ. વ. ૦)), ગુરુવાર, તા. ૮-૮-૦૨ના પણ ગુણાનુવાદનો દોર આગળ ચાલુ રહ્યો. તેથી સૂયગડાંગ સૂત્રનાં પ્રવચનો શ્રા. સુ. ૧, શુક્રવાર, તા. ૯-૮-૦૨થી આગળ વધ્યાં હતાં.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy