SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ – ૧૧ સૂયગડાંગ પહેલા શ્રુતસ્કંધના ૧ થી ૯ અધ્યયનોનું અવલોકન -11 - 231 માટે પણ આવું જ કહેશો કે, શ્રી યૂલિભદ્રસ્વામીજીને છેલ્લા ચાર પૂર્વ અર્થથી ન આપીને બહુ મોટી ભૂલ કરી. સંઘને મોટો અંતરાય કર્યો. સંઘને ચાર પૂર્વથી વંચિત રાખ્યો. ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજીએ એ સમયે નિષેધ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે - “તારા જેવાને જો આ નહીં પચી તો હવે પછી કોઈને પણ પચશે. નહિ. માટે હવે કોઈને ય આ જ્ઞાન આપી શકાય નહીં.” - પૂજ્ય આચાર્યશ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજનો એક પ્રસંગ સમજવા જેવો છે. ચિત્તોડના મંદિરમાં એક સ્તંભ હતો. તેમાં બધાં મંત્ર શાસ્ત્રો વજલેપથી પેક કરેલાં હતાં. ઘણના ઘા મારો તો પણ તૂટે નહિ, તેવો વજલેપ હતો. તેને ખોલવો કઈ રીતે ? તેમણે તે વજલેપને સુંધ્યો, સૂંઘીને તેમાં કઈ કઈ ઔષધિઓ વપરાઈ છે, તે નક્કી કર્યું. તેનાં માપ નક્કી કર્યા. કેવી વિશિષ્ટ પ્રજ્ઞા હશે, સમજાય છે ? તે દરેકની પ્રતિઔષધિઓ નક્કી કરી. તે બધી મેળવી તેનું દ્રાવણ તૈયાર કર્યું ને લગાડ્યું! ઘણના ઘા મારતાં પણ જે સ્તંભ ન ખૂલે તે આ દ્રાવણ લગાવવાથી ખૂલવા લાગ્યો ! અંદર મંત્રગ્રંથો જોયા. આ મંત્રોમાં સાધનાની જરૂર નહિ, બોલતાંની સાથે તરત ફળ મળે. તેમાંથી બે પાનાં ખેંચી કાઢીને તેઓએ તેમાંથી બે મંત્રો વાંચ્યા તેટલામાં જ તેના અધિષ્ઠાયક દેવે તેમના હાથમાંથી પાનાં ઝૂંટવી લીધાં અને તે અધિષ્ઠાયક દેવે કહ્યું કે – “ થોડસિ' તમે પણ આના માટે અયોગ્ય છો. યોગ્યના હાથમાં જ મંત્રો અપાય, અયોગ્યના હાથમાં ન અપાય. એવો જ એક પ્રસંગ કલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના જીવનમાં પણ બનેલો “શ્રી કુમારપાલદેવ ચરિત'માં નોંધાયેલો છે. પરમાત કુમારપાળ મહારાજાને વિક્રમ રાજાની જેમ પોતાના નામનો સંવત્સર ચલાવવાની ઈચ્છા થઈ. જગતના માથેથી જેટલું દેવું હોય તે ચૂકવી આપે તે પોતાના નામનો સંવત્સર પ્રવર્તાવી શકે. એ માટે “સુવર્ણસિદ્ધિ'ની જરૂર અનુભવતાં રાજાએ પોતાની ઈચ્છા કલિકાલસર્વજ્ઞ પ્રભુને જણાવી. તેઓશ્રી પાસે એ વિદ્યા ન હતી. તેની સિદ્ધિ નિજ ગુરુદેવ પૂ. આ. શ્રી દેવચંદ્રસૂરિજી પાસે છે એવું તે જાણતા હતા. તેથી સંઘ કાર્યમાંથી નિવૃત્તિ લઈ આરાધના કરતા ગુરુદેવને બોલાવવા માટે તેમણે સંદેશો પાઠવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy