SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ : ગુણસંપત્તિ વિના આગમનો ભાવ હાથ નહીં લાગે – 7 સાધનામાં અસ્થિર ન કરે. પછી ગમે તેવું સંગીત ચાલતું હોય, તે તેના કાનને ખેંચી ન શકે, ચલાયમાન કરી ન શકે. ગમે તેવું રૂપ કે દશ્ય આવે તોપણ તેની આંખ ત્યાં ન જાય. બાજુમાં જ વાનગીની સુવાસ આવતી હોય તો પણ તે તેના નાકને આકર્ષી ન શકે, ચળાવી ન શકે. સારામાં સારી વાનગી હોય તો પણ તેને હલાવી ન શકે. ગમે તેવા સ્પર્શ પણ તેને છળી ન શકે. ગમે તેવા વિષયોનાં નિમિત્તો મળે તો પણ તેની ઈન્દ્રિયો તે સમયે સંયમિત રહે, કાબૂમાં ૨હે તો જ તે જ્ઞાનની સાથે, આગમ વચનો સાથે જોડાણ કરી શકે. ભગવાનનાં વેણ એમને એમ ચાલ્યા ન જાય તે માટે ગમે તેવું શિલ્પ-સ્થાપત્ય-રૂપવાન વ્યક્તિ કે ગમે તેવી સજાવટ આજુબાજુમાં હોય તો પણ એનું મન તો શ્રુતસાધનામાં જ લીન હોય. જેનું મન અને ઈન્દ્રિયો બીજે ક્યાંય ન જાય તેની જ ઈન્દ્રિયો દાંત છે એમ સમજવું. ૧૪૩ wc - શાસ્ત્રમાં કહ્યું છે - વિગઈ પ્રતિબદ્ધને આગમ ન ભણાવાય. એટલે કે જે હંમેશાં વિગઈઓ આરોગે છે, વિગઈઓમાં જે આસક્ત છે, એવી વ્યક્તિને આગમનું જ્ઞાન ન અપાય. આ સાંભળીને કોઈને થાય કે મારે આગમ મેળવવા છે તો આ વિગઈ છોડી દઉં અને ગુર્વજ્ઞાથી એ વિગઈ છોડી દે, તો તેને જ્ઞાન અપાય. 143 આ સામાન્ય નિયમ છે. એમાં કોઈ સાધક વિશેષ માટે આપવાદિક નિયમ પણ છે. ગીતાર્થ ગુરુને લાગે કે આ સાધક વિશિષ્ટ કોટિની જ્ઞાન પાત્રતા ધરાવે છે અને એને જે રીતે જ્ઞાનારાધના કરાવવી છે, તેમાં એનું શરીરાદિ બંધારણ જોઈ ચોક્કસ સમય માટે ચોક્કસ વિગઈઓ આપવી જરૂરી લાગે, તો તે ગીતાર્થ ગુરુ એને એ મુજબ વિગઈઓ લેવાની રજા પણ આપે. પણ એ રજા આરાધના-સાધનાના ઉદ્દેશથી સંયમ સાધક શરીરને ટકાવવા ખાતર જ લેવાની છે, પરંતુ ઈન્દ્રિયો કે રસનાને પોસવા માટે લેવાની નથી. આ વાત ધ્યાનમાં હોવી જોઈએ. ઈન્દ્રિયોના આવેગોને જીતવા માટે બે પ્રકારનો તપ છે ઃ ઈન્દ્રિયોને નિયંત્રિત રાખવા માટે ઈન્દ્રિયોના આવેગો ન પ્રગટે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઈન્દ્રિયોના આવેગો બે રીતે પ્રગટે છે. માનસિક વિકારોમાંથી અને શારીરિક વિકારોમાંથી. Jain Education International ઈન્દ્રિયોની ભૂખનું તર્પણ કરવામાં જ સુખ છે એવા ભ્રામક સંસ્કારો જ્યાં સુધી મનમાં પડેલા હોય છે ત્યાં સુધી ઈન્દ્રિયોના આવેગો પ્રગટતા રહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy