SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુવીરનો વારસો ઃ આપણા સુધી આવી પહોંચ્યો ! આ સૂયગડાંગ સૂત્ર મૂળ અને પંચાંગીના પઠન-પાઠન માટે કેવળ યોગવાહી, ગુરુઆજ્ઞા પ્રાપ્ત સાધુ ભગવંતો જ અધિકારી છે. ચતુર્વિધ શ્રીસંઘ ગીતાર્થ, બહુશ્રુત, સંવિગ્ન, ભવભીરુ ગુરુના શ્રીમુખે એના સૂત્ર-અર્થ-તદુભયનું વ્યાખ્યાન સાંભળવાનો અધિકારી છે. જૈનશાસનના ચાર અનુયોગો પૈકી આ અંગમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગનો અધિકાર છે. આમાં ૩૬૩ પાખંડીઓના મિથ્યા-સંકલ્પનોનું યુક્તિયુક્ત ખંડન અને સર્વાંગસુંદર, સર્વનય સમન્વયાત્મક, અનેકાંતમય, જૈનદર્શનનું અકાટ્ય મંડન કરવામાં આવ્યું છે. આ મહાન આગમ ગ્રંથ સમ્યગ્દર્શનની વિશુદ્ધિને કરનાર હોઈ પ્રત્યેક ભવ્યાત્માએ સુયોગ્ય સદ્ગુરુ ભગવંત પાસે આનું વિધિવત્ શ્રવણ કરવું જોઈએ. શ્રી સૂયગડાંગ સૂત્રની વિવિધ પ્રકારે ભક્તિ કરવાથી પણ સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે. સ્વર્ણની શાહીથી ઉત્તમ તાડપત્ર, કાગળ ઉપર આ આગમ લખાવવું, એની દ્રવ્ય-ભાવ અર્ચા કરવી, સૂત્ર-અર્થ વ્યાખ્યાનકાર મહર્ષિનું સુગંધી દ્રવ્યો વગેરેથી પૂજન કરી જ્ઞાનના આચારોનું પાલન, બુદ્ધિના આઠ ગુણોનું ધારણ આદિપૂર્વક આ ગ્રંથનું શ્રવણ કરવાથી મિથ્યાત્વનાં પડલો દૂર થાય છે, સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને પ્રાપ્ત સમ્યગ્દર્શન વિશુદ્ધ થાય છે. મહાતીર્થના સાનિધ્યમાં, વડીલોની નિશ્રામાં, સકલસંઘની સમુપસ્થિતિમાં આ પ્રવચનો કરતી વખતે મેં અનેરી સંવેદનાઓ અનુભવી છે. પ્રભુવીરની વાણી અનેકવાર હૃદયને, જીવનને અને આત્માને સ્પર્શી છે. મેં મુખ્યપણે મારા આત્માને આગમના ઉદાત્ત ભાવોથી ભાવિત અને સંસ્કૃત કરવા માટે જ આ પ્રવચનો કર્યાં છે; સાથોસાથ શ્રવણ કરનાર આત્માઓના એકાંતે કલ્યાણની જકામના સેવી છે. નિરૂપણ કરતાં ગ્રંથનો ભાવ જળવાય એની શક્ય કાળજી પણ રાખી છે. છતાં ક્યાંક ચૂક્યો હોઉં તો બહુશ્રુતો મને જણાવે તો પુનરાવલોકનમાં ઉપયોગી બની શકશે. અહીં રજુ થતાં પ્રવચનોનાં વાચન-મનનાદિ દ્વારા સૌ કોઈ અનાદિકાળથી મોહનિદ્રામાં સૂતેલા આત્માને જગાડી, આત્માને ભવ-દુઃખ બંધનમાં બાંધતા કર્મનાં બંધનો, પરિગ્રહ, હિંસા, મમતા અને મિથ્યાત્વનાં બંધનોને જાણી, એને તોડવાનો ભવ્ય પુરુષાર્થ કરી શાશ્વત સુખમય મોક્ષને પામે એ જ શુભાભિલાષા. લિ. આચાર્ય વિજય કીર્તિયશસૂરિ Jain Education International 9 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy