SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ – ૯ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી. ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી - – 117 પ્રાણ જાય પણ નિયમ ન જાય ? ભરૂચના એક શ્રાવકની આ વાત છે. વર્ષો પૂર્વેની આ ઘટના છે. મહારાષ્ટ્રના કોઈક રાજવીએ ભરૂચ ઉપર હુમલો કરીને ભરૂચને લૂંટ્યું. અપાર ધન-સંપત્તિ લૂંટવા સાથે અનેક માનવીઓને પણ તેઓ પકડી ગયા. એ જમાનામાં ગુલામ પ્રથા હતી. આ રીતે પકડાયેલા માનવીઓને ગુલામ તરીકે વેચવામાં આવતા અને એને ખરીદનારા લોકો એ ગુલામના પશુ કરતાં પણ બદતર હાલ કરતા. ભરૂચનો એક શ્રાવક પણ આ માનવીઓની સાથે પકડાયો હતો, એને પણ નગરના ચોકમાં ઉભો કરીને વેચવામાં આવ્યો. મરાઠી રાજાના રસોઈયાએ જ એને ગુલામ તરીકે ખરીદ્યો. પાપનો ઉદય સમજીને આવેલી પરિસ્થિતિનો એણે સ્વીકાર કર્યો. આમ છતાં પોતાના સમ્યગ્દર્શનને અને સ્વીકારેલા વ્રતોને એ બરાબર પાળતો હતો. પહેલા અણુવ્રતમાં “નિરપરાધી ત્રસજીવને મારવાની બુદ્ધિએ નહિ મારું” – એવી એને પ્રતિજ્ઞા હતી. એક દિવસ એવો આવ્યો કે એનો આ નિયમ કસોટીએ ચડ્યો. એ રાજા માંસાહારી હતો. અવારનવાર પશુ-પક્ષીનાં માંસની વાનગીઓ ખાતો. એનો રસોઈઓ એની ઈચ્છા મુજબ વાનગીઓ બનાવી આપતો. એકવાર રાજાના રસોઈયાએ રાજાની રસોઈ માટે પાંજરામાં પૂરેલ પક્ષીને મારીને લાવવાનો હુકમ કર્યો. આ હુકમનું તેણે પાલન ન કર્યું. જ્યારે તેને કડક થઈને હુકમ પાલન કરવા કહ્યું, ત્યારે પણ તેણે સવિનય “ના” પાડતાં કહ્યું કે, નિરપરાધી જીવને ક્યારેય પણ નહિ મારવાની – મારી પ્રતિજ્ઞા છે. માટે હું આ પાપ કોઈપણ સંયોગમાં નહિ જ કરી શકું.” રસોઈયાએ કહ્યું કે “અત્યારે તું મારો ગુલામ છે અને હું કહું તે કરવા તું બંધાયેલો છે.” એણે કહ્યું કે, “તમે જે કહેશો તે બધું જ કરીશ. પણ મારો આ નિયમ તો હું કોઈ સંયોગમાં નહિ જ તોડું.” રસોઈયાએ આક્રોશપૂર્વક કહ્યું કે, “ગુલામને વળી નિયમ કેવા ? એણે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy