SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુવીરનો વારસોઃ આપણા સુધી આવી પહોંચ્યો ! પરમાત્મા શ્રી મહાવીરદેવે ફરમાવેલ ત્રિપદીને ઝીલી અગ્યારે ગણધર ભગવંતોએ ચૌદ પૂર્વપૂર્વક દ્વાદશાંગીની રચના કરી. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીમહારાજાએ રચેલી દ્વાદશાંગીનું વહેણ આગળ વધ્યું. એમાંનું જ બીજું અંગઆગમ છે : “શ્રી સૂયગડાંગ સુd'; એનું સંસ્કૃત નામ છે : “શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર....” શ્રી આચારાંગજી નામના પ્રથમ અંગ આગમમાં શ્રમણ ભગવંતોના મોક્ષસાધક ભવ્ય-દિવ્ય આચારનું વર્ણન કર્યા બાદ બીજા શ્રી સૂયગડાંગ સૂત્રમાં મુખ્યત્વે દર્શનવાદની ચર્ચા-વિચારણા કરાઈ છે. આત્મા કર્મનાં બંધનોથી કેમ બંધાય છે ? તેની કારણ-મીમાંસામાં અહીં બધા જ મિથ્યાદર્શનોની માન્યતાઓ રજુ કરીને, એમાં રહેલા મિથ્યા-અંશનું બરાબર પરિમાર્જન કરવામાં આવ્યું છે. મિથ્યામતોની મિથ્યા-માન્યતાને આધીન બનેલું જગત પ્રથમ તો મિથ્યાત્વનું બંધન ઉભું કરે છે. એથી પ્રેરાઈ પરિગ્રહ, હિંસા અને મમત્વનાં બંધનો ઉભાં કરે છે અને એ બધાં જ બંધનોથી કર્મનું બંધન ઉભું થાય છે. આત્મા પાપકર્મથી બંધાઈ એના ફળ-વિપાકો ભોગવવા દુર્ગતિના દારુણ ચકરાવે ચડી જાય છે. દુર્ગતિના ચકરાવે ચડેલો જીવ દુઃખ અને દુઃખની પરંપરાનો ભોગ બને છે. એ દુઃખી જીવોની કરુણાથી પ્રેરાઈ પ્રભુએ સુખનો માર્ગ બતાવ્યો. સમ્યગ્દર્શન એ સુખનો પ્રારંભ છે. સર્વવિરતિ એ સુખનો ઈહલૌકિક પારલૌકિક આસ્વાદ છે અને મોક્ષ-શિવગતિ એ સુખનું શાશ્વત ધામ છે. જૈન દર્શન જીવને સમ્યગ્દર્શન, સર્વવિરતિના માધ્યમે શાશ્વત સુખરૂપ સ્વ-ઘર સુધી પહોંચાડી આપે છે. એનો જ બોધ-માર્ગ શ્રી સૂયગડાંગ સૂત્ર સાધકને સમર્પે છે. આ સૂયગડાંગ સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. શ્રુતસ્કંધ એટલે મોટા વિભાગો. જેમ કોઈ વૃક્ષના મોટા બે થડ હોય તેમ આ આગમ ગ્રંથના બે વિભાગો શ્રુતસ્કંધ રૂપે ઓળખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy