SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રિભેજ ઉપર હસ-કેશવની કથા.-૧૩ ૧૭. રાત્રિભોજનને આદર અને ત્યાગ સંબંધે હંસ અને કેશવની કથા – વસુધારૂપી વનિતાના કુડલ સમાન તથા મેતીની માળા જેવા આકારવાળા કિલ્લાના ઘેરાવાથી શોભતું એવું કુંડિનપુર નામે નગર છે. ત્યાં પિતાના યશથી ધરાને ધવલિત (ધૂત) બનાવનાર તથા નવું દ્રવ્ય ઉપાર્જન કરનારાઓમાં શિરમણિ એ યશોધન નામને ગૃહસ્થ હતે. ભુવનને આનંદ પમાડવામાં ચંદન સમાન અને રંભાની કુણિરૂપ કમળમાં શ્રી (લમી) હંસ સદશ એવા હંસ અને કેશવ નામે તેને બે પુત્રો હતા. એક વખત વનમાં જતાં તેમણે ધર્મશેષ ગુરુની દેશનામાં રાત્રિભોજન કરવામાં રહેલા દેશે સાંભળ્યા. એ બધ સ્વીકારતાં કાર્યને સારાસારને જાણનારા તેમણે ગુરુને સાક્ષી રાખીને હર્ષ પૂર્વક રાત્રિભેજના ત્યાગને નિયમ લીધે. પછી ઘરે જઈને તેમણે બપોરે ભોજન કર્યું અને દિવસના અષ્ટમે ભાગે માતા પાસે વાળુ માગ્યું. ત્યારે માતા બોલી–હે વત્સ! અત્યારે શું જમશે? તમને તે દૂધ બહુ ભાવે છે અને તે તે રાત્રે મોડેથી મળશે, માટે ઉતાવળા કેમ થયા છે?' એ પ્રમાણે માતાનું વચન સાંભળી તે બંનેએ સાચી વાત કહી જણાવ્યું કે – હે માતા ! રાત્રિભોજન ન કરવાને અમે નિયમ લીધે છે.” આ તેમનું વચન સાંભળી ગર્ભશ્રીમંત યશેલને રેષપૂર્વક અંતરમાં વિચાર કર્યો કે- નિશ્ચય કેઈ ધૂર્ત મારા પુત્રને છેતર્યા છે, તેથી કુલપરંપરાથી ચાલ્યા આવતા રાત્રિજનને એમણે ત્યાગ કર્યો છે, માટે એ બંનેને બે ત્રણ દિવસ સુધી ભૂખ્યા રાખીને ચરિજનના ત્યાગને કદાગ્રહ અવશ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy