________________
સૂર-ચંદ્રની કથા.-૧
એવામાં કઈ વાર ત્યાં કેવલજ્ઞાનથી દીપતા અને જિનશાસનમાં ભાસ્કર સમાન સુદર્શન નામે મુનિ પધાયા. એટલે તેમને નમસ્કાર કરવાને ભક્તિને ધારણ કરતે રાજા નાગરિકોની સાથે વનમાં ગયે, અને તત્વજ્ઞ મહાત્માને નમીને રાજા ધર્મોપદેશરૂપ અમૃત પીવાને બેઠે. પછી વ્યાખ્યાનના અંતે રાજાએ પ્રશ્ન કરતાં કેવલી મહારાજે તે બન્ને હાથીઓના વૈરનું દારૂણ કારણ કહી બતાવ્યું. તે વૃત્તાંત સાંભળતાં સંસા રથી, વૈરાગ્ય પામી પિતાના પુત્રને રાજ્ય પર બેસારી રાજાએ તરત દીક્ષા લીધી. પછી તરૂપ સૂર્યના તેજથી શેલતા તે રાજર્ષિ ઉત્કટ સુખામૃતથી પરિપૂર્ણ સ્વર્ગે ગયા. - હવે વિરોધને વધારતા તે બન્ને હાથી દુઃખથી પૂર્ણ પ્રથમ નરકે ગયા. ત્યાંથી પાપ નિમાં જન્મ પામી સંતપ્ત થતા તે બને અનંત ભવ ભમ્યા ને ચંદ્રને જીવ ચિરકાલ સ્વર્ગનાં સુખે ભેગવી, મનુષ્યત્વ મેળવીને મેક્ષલહમીને સ્વામી . આ દષ્ટાંત સાંભળી મુક્તિસુખના કારણરૂપ અહિંસાતને આદર કરવો કે જેથી આત્મા મોક્ષને પામે.
| ઇતિ સૂર-ચંદ્ર કથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org