SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ] સમર્થ– સમાધાન ઉત્તર :–એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાના બે સિદ્ધ થઈ શકે છે, આ વાત ઉત્તરધ્યયનના ૩૬ મા અધ્યયનના મૂળ. પાઠમાં છે. જે ઉત્કૃષ્ટ અવગાહનાના ૧૦૮ સિદ્ધ થાય, આ વાત અચ્છેરાની છે. ૧૦ અચ્છેરા સ્થાનાંગના ૧૦ મા ઠાણામાં બતાવ્યા છે, અઆછેરા અનંત કાળે થાય છે. બાકી સાધારણ રૂપે તો ઉ. અવગાહનાના બેથી વધારે સિદ્ધ થતા નથી. પ્રશ્ન ૯૬ર –-પાંચ સ્થાવર મૃષાવાદની ક્રિયા કેવી રીતે કરે છે? ઉત્તર:–બોલવાની શક્તિનો અભાવ છે, પરંતુ તે મૃષાવાદના ત્યાગી નથી. એથી અવતની અપેક્ષાએ તેને મૃષાવાદ વગેરે બધી જ ક્રિયાઓ લાગે છે. પ્રશ્ન ઉદય –સામાયિક, છેદપસ્થાપનીય, અને પરિવાર વિશુદ્ધિમાં એક વર્ધમાન પરિણામ છે, તે પછી પડિવાઈ કેમ થાય છે? હીયમાન પરિણામ વગર પડીને અસંયમમાં કેવી રીતે આવે છે? ઉત્તર સામાયિક આદિ ત્રણેય ચારિત્રમાં હીયમાન. વર્ધમાન, અને અવસ્થિત એમ ત્રણે ય પરિણામ, ભગવતી શ૦ ૨૫ ઉ. ૭ માં બતાવ્યા છે. પ્રશ્ન ૯૬૪ –ઠાણુગ ઠા. ૪માં લોકપાલના નામ છે, તો ભવનપતિના ૨૦ ઈન્દ્ર છે અને દરેક ઈન્દ્રના ૪-૪ લોકપાલ બતાવ્યા છે. અસુરકુમારના બે ઈન્દ્ર છે, તેના લોકપાલ ૮ સમજવા કે ચાર ચાર નામ બતાવીને પાછા બીજી વાર ચાર નામ તે જ બતાવ્યા છે, તે તે ૨ ઈન્દ્રોના ૮ લોકપાલ સમજવા કે ચાર ? એ જ રીતે આગળ નાગકુમાર વગેરેના પણ કેમ સમજવા? ઉત્તર –ભવનપતિના ૨૦ અને વૈમાનિકના ૧૦ એમ ૩૦ ઈન્દ્રોમાંથી દરેકના ૪-૪ કપાલ છે. અસુરકુમારના બે ઇંદ્રના આઠ લેકપાલ છે. બન્ને ઈન્દ્રોના લોકપાલેના નામ તે જ છે. એ જ પ્રકારે આગળ પણ સમજવું જોઈએ. પ્રશ્ન ૯૬૫ –ઠાણાંગ ઠા. ૪ ઉ. ૩ માં ઔદારિક સિવાય ચાર શરીરને જીવ સ્પશે છે, તે કેમ સમજવું? ઉત્તર –દારિક શરીર તે જીવ રહિત પણ દેખાય છે, પરંતુ શેષ ચાર શરીર, જીવ વગર (ખાલી શરીર) રહી શક્તા નથી અને ન જીવશૂન્ય શરીર દેખાય છે. પ્રશ્ન ૯૬૬ –ઠાણુગ ઠા. ૪ ઉ. ૩માં ૪ પિતાલા (૪૫ એજનના) ચાલ્યા છે તે, પણ “Hપો સપરિસિ” છે. તે પહેલા દેવલોકના ઉનામના વિમાનને કેવી રીતે સમજવું? તે કયા લોકની સીમામાં છે? ... ઉત્તર –ઉડુ નામનું વિમાન પહેલા પ્રતરના મધ્યમાં છે. અને તે પહેલા દેવલોકનું ગણાય છે. કેમકે તેરેય પ્રતરના ઈન્દ્રક (મધ્ય) વિમાન પહેલા દેવલોકના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy