SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ-સમાધાન ભાગ બીજે પ્રશ્ન ૮૧૯ –પુણ્યાનુબંધી અને પાપાનુંબંધી-પુણ્યના કયા કયા કાર્ય છે? કયા કયા કામ કરવાથી જીવ, પાપાનુબંધી પુણ્ય બાંધે છે? પાપાનુંબંધીપુણ્ય વડે જે શરીર, સંપત્તિ, સમાજ, સત્તા વગેરે મળે છે, તે સારા કાર્યમાં લાગે છે કે ખરાબ કાર્યમાં? પાપાનુબંધી–પુણ્યના ભેગવવાથી ગતિ, જાતિ, સ્થિતિ, તથા આત્મિક શક્તિમાં જીવનું ઉત્થાન થાય છે કે પતન? ઉત્તર–જ્ઞાન પૂર્વક, નિયાણુ રહિત, કુશળ અનુષ્ઠાન (સર્વ જીવમાં દયા, વિતરાગતા, વિધિવત્ ગુરૂ-ભક્તિ, નિરતિચાર ચારિત્ર આદિ)થી પુણ્યાનુબંધી પુણ્ય થાય છે. ભરત ચકવર્તી વગેરેની જેમ. નિયાણદિ દોથી દૂષિત ધર્મ અનુષ્ઠાનથી પાપાનુબંધી પુણ્ય થાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિની જેમ-પાપાનુબંધી પુણ્ય વડે મળેલી સંપત્તિ વગેરે ખરાબ કાર્યમાં લાગે છે. અને પાપાનુબંધી–પુણ્યના ભેગથી જીવનનું ઉત્થાન નહિ થતાં પતન થાય છે. આવું પતન ગતિ, જાતિ, આત્મિક શક્તિ વગેરેમાં પણ સમજવું જોઈએ. ઉપરોક્ત ખુલાશે હારિભદ્રાષ્ટક ૨૪ મે સટીક, પંચાશક સટીક, પંચ વસ્તુ સટીક આદિ ગ્રંથમાં છે. તથા અભિધાન રાજેન્દ્ર” કેષ ભાગ ૫ મો પૃષ્ઠ ૯૯૨-૯૩ માં પણ છે. પ્રશ્ન ૨૦ –જીવના પ૬૩ ભેદ છે. તેમાંથી ચાર ગતિમાં શાશ્વત અને અશાશ્વત જીવ કેટલા છે? તેમજ પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કેટલા કેટલા છે? ઉત્તર-સાત નારકીના અપર્યાપ્તા.....૭ પાંચ સંજ્ઞી તિર્યંચના અપર્યાપ્તા....૫ એક એક સંજ્ઞી મનુષ્યના અપર્યાપ્તા....૧૦૧ એકસો એક અસંજ્ઞી (સમુચ્છિમ) મનુષ્ય...૧૦૧ અને નવાણુ દેવોના અપર્યાપ્તા એમ ૭ + ૫ + ૧૦૧ + ૧૦૧ + ૯૯ = ૩૧૩ જીવના આ ૩૧૩ ભેદ અશાશ્વતા છે. જીવના ૨૫૦ ભેદ ચાર ગતિમાં શાશ્વત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy