SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે { ૨૧૧ પણ “ધર્મજૂર” હોતા નથી. જેમ કે વ્રત-ધર્મ રહિત વાસુદેવ અથવા બંને ધર્મથી રહિત કાલ સૌકરિક કસાઈ વગેરે. કઈ કઈ પહેલાં કર્મસૂર હોય છે, પછી સુસંગતિથી ધર્મ શૂર બની જાય છે. જેમકે દઢપ્રહારી, પ્રભાવ, ચિલાતી પુત્ર વગેરે. આથી જે કર્મસૂર હોય છે, તે ધર્મસૂર હોય જ એ એકાન્ત નિયમ નથી. પ્રશ્ન ૧૪ર૧ –મોક્ષ જનારા છાના રસ્તામાં કેટલા દેવલોક આવે છે? તે છ દેવલોકમાં થઈને જાય છે શું? ઉત્તર –જે જીવ જંબુદ્વીપના મેરુપર્વતથી દક્ષિણનાં સમય ક્ષેત્રથી મોક્ષ જાય છે, તેમના રસ્તામાં ૨, ૪, ૧૦ અને ૧૨ મું એ ચાર દેવકને છોડીને બાકીના આઠ દેવલેકે, નવરૈવેયક અને સર્વાર્થ સિદ્ધ વિમાન આવે છે અને જે ઉત્તર તરફથી જાય છે. તેઓને, ૧, ૩, ૯ અને ૧૧ આ ચાર દેવકાને છેડીને બાકીના આઠ દેવલેક, નવચૈવેયક અને સર્વાર્થસિદ્ધ વિમાન રસ્તામાં આવે છે. જે જંબુદ્વીપના મેરુપર્વતની લગભગ મધ્યભાગની સિધાણથી જાય છે, તે જેને બારેય જ દેવલોકની સીમા અને નવરૈવેયક રસ્તામાં આવે છે, તથા સર્વાર્થ સિદ્ધ વિમાન કેઈન રસ્તામાં આવે છે, અને કોઈને સર્વાર્થ સિદ્ધની ચારે તરફથી ખુલ્લા વિમાનમાંથી કેઈ વિમાન આવે છે, કારણ કે મોક્ષમાં જનારા જીવ અજુશ્રેણીથી ગતિ કરે છે. તેથી રસ્તામાં ઉપર કહેલાં દેવેલેકો આવે છે. પ્રશ્ન ૧૪૨–૩૩ આસાતનામાં “સદેવ મણુઆ સુરસ્સ લેગસ્સ આસાયણએને કે આશય છે. કાળ આસાતના કેવી રીતે થાય છે? ઉત્તર –દેવ મનુષ્ય અસુરાદિ સહિત જે લોક છે, તેની આસાતના આ પ્રકારે થાય છે. લેકના સંબંધમાં જુઠ્ઠી પ્રરુપણ કરવી, જેમકે આ લેક દેવને બનાવેલ છે. બ્રહ્માને બનાવેલું છે. ઈશ્વરને બનાવેલ છે. સાત દ્વીપ અને સાત સમુદ્ર સુધી જ લેક છે વગેરે રૂપે લેકના વિષયમાં પરુપણ કરવી તેને લોક આશાતના કહે છે. વર્તના લક્ષણ રૂપ કાળ છે–બાલ, તરુણ-વૃદ્ધ વગેરે અવસ્થાઓ કાળકૃત છે. જે કાળ ન હોય તો દ્રવ્યમાં રૂપાન્તર જ કેવી રીતે થાય! એવા કાળને ન માને તે કાળ આસાતના છે. ધાર્મિક પુરુષાર્થ ન કરતા કાળને દુષણ આપવું, જેમકે “આ પંચમ કાળ છે, અમે ધર્મકરણ કેવી રીતે કરીએ? ઈત્યાદિ કહીને પિતાની પ્રવૃત્તિ ન સુધારતા કાળને દુષણ આપવું એ કાળની આસાતના છે. પ્રશ્ન ૧૪ર૩ –અઢાર પાપમાં રાગ, દ્વેષ અને રતિ–અરતિમાં શું અંતર છે? દ્વેષ અને ક્રોધમાં શું અત્તર છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy