SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ] સમર્થ–સમાધાન તે પછી સંસ્કૃત આદિ અન્ય વિષયનું અધ્યયન કયા આધારે કરવામાં આવે છે? ' ઉત્તર ––“અદ્વૈજુરાણિ સિકિખજજા” અહિંયા અર્થયુક્ત શબ્દનો અર્થ સ્વશાસ્ત્ર જ લેવું જોઈએ. “નિરાણિ ઉ વજએ” માં નિરર્થકને અર્થ મોક્ષ માર્ગથી વિપરીત કામશાસ્ત્ર વગેરેને વર્જવા એ અર્થ લેવું જોઈએ. વ્યાકરણ, ગણિત વગેરે શીખવું એ પણ જે મક્ષ માગને પ્રતિપાદક હોય તેમ જ વિતરાગ પ્રરૂપિત શાસ્ત્રોમાં ગતિ કરવા માટે હોય તે તે ઉદેશની પૂર્તિમાં સહાયક છે. પણ જે અન્ય ઉદેશની સિદ્ધિ માટે તે શીખવામાં આવે છે તે નિરર્થકની ગણતરીમાં આવશે, એ દષ્ટિએ શીખવું સર્વથા વર્જિત છે. પ્રશ્ન ૧૪૧૮:–અનુયોગ દ્વાર સૂત્રના સમાસ વગેરે વનમાં જ્યાં કે જ્યાં સંસ્કૃત શબ્દનો પ્રયોગ કેષ્ટક વિના કર્યો છે તે તે મૂળસૂત્રની પરંપરા છે? કે ક્ષેપક છે અથવા તેને મુદ્રણની અશુદ્ધિ સમજવી? - ઉત્તર–અનુયેાગ દ્વાર સૂત્રનાં સમાસ આદિ વર્ણનમાં જે સંસ્કૃત શબ્દને પ્રગ કોષ્ટક વિના કર્યો છે, તે અર્ધમાગધિ ભાષાની વ્યાકરણની શૈલીથી કર્યો છે, એવું લાગતું નથી. શિષ્યને સમજાવવા માટે આચાર્ય મહારાજે સંસ્કૃતનાં ઉદાહરણ આપ્યા હોય અને કેટલાક સમયથી તે પરંપરામાં જેમ અને તેમ લીપીબદ્ધ થઈ ગયા હોય તો કંઈ કહી શકાય નહીં. કારણ કે ટીકાકારે આ વિષયમાં કેઈ ખુલાસો કર્યો હોય એવું જોવામાં આવ્યું નથી. આ પાઠ તે સમયના મુદ્રણની અશુદ્ધિ હોય એમ પણ લાગતું નથી. પ્રશ્ન ૧૪૧૯ – કવિધી દેવ શું મિથ્યાદષ્ટિ જ હોય છે? ?': ' ઉત્તર –“મિચ્છત્તા અભિણિવેસેહિ.” વગેરે પાઠ ભગવતી શ. ૯. ઉ. ૩૩ ને તથા “તત્થા વિશે ન યાણુઈ, કિં મે કિગ્રા ઈમં ફલ” બેહી જ0 સુ દુલ્લહા” વગેરે પાઠ દશવૈકાલિક અધ્યયન પાંચને જેવાથી અથવા પૂર્વાચાર્ય કૃત જીવ-ઘડા વગેરે જેવાથી કિલ્વિષી દેવ મિથ્યાત્વી હોય છે. પ્રશ્ન ૧૪ર૦ –“જે કમે સૂર તે ધમ્મ સૂરા” આ પાઠ કયાં આવેલું છે? ઉત્તર –“જે કમે સૂરા તે ધમે સૂરા” આ પ્રકારને પાઠ ધ્યાનમાં નથી. આ નિયમ પણ ભલા કેવી રીતે હોઈ શકે છે? કારણ કે ત્રીજા ઠાણાનાં પ્રથમ ઉદ્દેશમાં વાસુદેને કર્મ પુરુષ કહેવામાં આવ્યા છે. પરંતુ તેઓ ધર્મસુર કયાં હોય છે? તેમને તે “ સૂરે વાસુદેવે” ચોથા ઠાણાનાં ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે. એ જ ત્રીજા ઠાણાના પહેલા ઉદેશામાં અરિહં તેને “ધર્મ પુરુષ” કહ્યા છે. અહિંયા “ખંતિ સૂર અરિહન્તા, તવે સૂરા અણગારા” બતાવ્યું છે. એ બંને “કમેસૂરા કયાં છે? વગેરે પાઠથી એમ જણાય છે કે કે ધર્મશૂર હોય છે, પરંતુ કર્મચૂર હોતા નથી. જેમકે તીર્થકર. કઈ “કર્મશર” હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy