SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન છે. પાણીમાં કુલણ સેવાળ-લીલ કુલ) જેવી સ્થિતિ હોય તે વધારે પ્રાયશ્ચિત આવે છે. અન્ય માર્ગના અભાવમાં જે સાધુ યત્નાપૂર્વક ૫૦ ડગલાં ઘુંટણ સુધીના પાણીવાળી નદીમાં ઉતરે, તે ૨૫ ઉપવાસનું પ્રાયશ્ચિત બતાવ્યું છે. પ્રશ્ન ૧૩૯૮ – પન્નવણું પદ ૧ માં જાતિ આર્યના ૬ ભેદ “અંબઠ્ઠા, કલંદા, વેદેહા, વેદાતિતા,હરિત અને ચંચુણ બતાવ્યા છે. તેનો અર્થ શું છે? ઉત્તર –માતૃપક્ષને જાતિ કહે છે. જાતિથી જે આય નિર્દોષ હોય, તેને જાતિઆર્ય કહે છે. અર્થાત્ જેને માતૃપક્ષ નિર્મળ હોય, તે જાતિ-આર્ય કહેવાય છે. જેના “અંબા આદિ છ ભેદ છે. આ ભેદન જુદા જુદા અર્થ ટીકાકારે આપ્યા નથી. કોષ બનાવનારે “જાતિ વિશેષ’ એ અર્થ આપે છે. એટલે ભેદોને અર્થ “નિર્મળ માતૃપક્ષ” સમજ. પ્રશ્ન ૧૩૯ –સેપ કમ આયુષ્ય ૭ કારણથી તૂટે છે એવું સ્થાનાંગ ૭ માં કહ્યું છે, તો કેટલું તૂટે છે? કઈ કહે છે કે ૬ મહિનાથી વધારે તૂટતું નથી, તે તે કેવી રીતે? ઉત્તર – ૫ ક્રમ આયુષ્ય વાળાનું આયુષ્ય કોડપૂર્વથી વધારે હેતું નથી. જે સેપ કમ આયુષ્યવાળા જીવનું જેટલું આયુષ્ય હોય, તેમાંથી વધારેમાં વધારે એક તૃતીયાંશ ભાગનું આયુષ્ય બંધાયા પછી તૂટી શકે છે. વધારે નહિ. સેપ કમ આયુષ્યવાળે જીવ, પરભવના આયુષ્યને બંધ ત્રીજા, નવમા તથા સત્તાવશમા ભાગથી બાંધે છે પરંતુ પહેલાના બે તૃતીયાંશ (૨૩) ભાગમાં કઈ પણ જીવ પરભવનું આયુષ્ય બાંધતા નથી. આ બાબત પન્નવણાના છઠ્ઠા પદમાં બતાવી છે. એ પણ સ્પષ્ટ છે કે, પરભવનું આયુષ્ય બાંધ્યા વિના, કોઈ પણ સંસારી જીવ મૃત્યુ પામતો નથી. આ ઉપર અનેક આચાર્યને મત છે કે, આયુષ્ય બંધ પડ્યા પછી એક તૃતીયાંશ ભાગનું આયુષ્ય તૂટે છે. ભગવતી શ. ૧ ઉ. ૮ માં, પ્રહાર હેતુક મરણમાં જે છ માસ સુધીનું વ્યવહારનયમાં બતાવ્યું છે તે ઉપરથી કેઈ આચાર્ય છ માસથી વધારે આયુષ્ય તૂટે છે એમ માનતા નથી. પરંતુ આ વ્યવહાર નયના કથનથી છ માસથી અધિક આયુષ્ય તુટવાને નિષેધ બરાબર સિદ્ધ થતું નથી. સૂત્ર કૃતાંગ અ. ૨ ની બીજી ગાથાની ટીકામાં ટીકાકાર કહે છે કે, કેઈ જીવ ત્રણ પલ્યોપમનું આયુષ્ય પામીને પણ પર્યાપ્તિ થયા પછી અંતર્મુહુર્તમાં જ પોતાના જીવને છોડી દે છે પરંતુ આ વાત સૂત્ર સાથે બંધ બેસતી નથી. ઉપરોક્ત ત્રણ માન્યતાઓમાં આયુ બંધ પછી ૬ ભાગનું આયુષ્ય તૂટે છે એ માન્યતા વધારે પ્રચલિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy