SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો મુહપત્તી (મુખ વસ્ત્રિકા), એ બે ઉત્કૃષ્ટ પાત્ર નિગ યુક્ત નવ ઉપધિના ધારક તથા “પ્રાવણ વર્જી હોય છે. પ્રાવરણ વર્જનું તાત્પર્ય એ છે કે, ઓઢવા–પહેરવાના વસ્ત્ર રાખતા નથી અને તેઓ નિયમ પ્રમાણે આજીવન જિનકલ્પી તરીકે એકાકી જ વિચારે છે. ઠાણુગના પ્રથમ ઠાણાની તથા પન્નવણાને પ્રથમ પદની ટીકામાં પ્રત્યેક બુદ્ધ વિષે વર્ણન છે. મૃગાપુત્ર પણ મુનિને દેખીને બોધ પામ્યા, એટલા માટે નિયમ મુજબ તેઓ પ્રત્યેક બુદ્ધ જ હતા. તેથી તેઓ દીક્ષિત થયા બાદ જિનકપી રહ્યા અને પછી કલ્પાતીત અવસ્થાને પ્રાપ્ત થયા. પ્રશ્ન ૧૩૯૪ –મૃગાપુત્ર કયા સમયે થયા? ઉત્તર:–“સામન્ન ચ પુરાકય” ૯, સુયણિમે પંચ મહાવ્યાણુિં ૧૧ “દેવલેગ ચુઓ સંતે ૮“પંચ મહન્વય જુત્તો” ૮૯ વગેરે શાસ્ત્રીય પદથી એ પ્રમાણિત છે કે, મૃગાપુત્રના જીવે પાછળના મનુષ્ય ભવમાં પંચમહાવ્રતરૂપ સંયમનું આરાધન કર્યું હતું. પછી દેવભવ પૂરો કરીને, મૃગાપુત્ર થયા. મૃગાપુત્રના ભાવમાં પણ તેમણે પાંચ મહાવ્રત રૂપ સંયમનું પાલન કર્યું. તેને ફલિતાર્થ એ છે કે, મૃગાપુત્ર, ભગવાન રાષભદેવના શાસનમાં થયા, કેમકે, પંચ મહાવ્રત રૂપ સંયમ પાલનને આટલો લાંબે શાસન કાળ અન્ય કેઈપણ તીર્થકરને આ અવસર્પિણ કાળમાં નથી રહ્યો. પ્રશ્ન ૧૩૫ –સાધુને માટે ઔષધિનું સેવન, એ ઉત્સર્ગ માર્ગ છે કે અપવાદ માર્ગ ? ઉત્તર –ષધિ–સેવન અપવાદ માર્ગ છે. પ્રશ્ન ૧૩૯ –કાર્યોત્સર્ગ અને ધ્યાન કેને કહે છે? ઉત્તર –શરીરના મમત્વ પરથી દષ્ટિ હઠાવીને, અને તેના વ્યાપારને છેડીને, અંતરંગ આત્મા સંબંધી શુભ ચિંતન કરવું તે ક્રિયાને કાત્સર્ગ કહે છે. ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહે છે. જે એકાગ્રતા શુભ તરફ હેય તે શુભ ધ્યાન, અને અશુભ તરફ હેાય તે અશુભ ધ્યાન કહેવાય છે. પ્રશ્ન ૧૩૯૭ –શેષ કાળમાં સાધુ-સાધ્વીને કેટલીવાર નદી ઉતરવાનું કરે છે? વધારે પાણી વાળી નદીમાં ઉતરવાથી વધારે પ્રાયશ્ચિત આવે છે શું ? ઘુંટણ સુધીના પાણીમાં પ૦ ડગલા નદી ઉતરવાનું પ્રાયશ્ચિત શું આવે? ઉત્તર –જે કઈ બીજો રસ્તો હોય, તો તે નદીમાં ઉતરવું ન જોઈએ, જે પ્રયત્ન કરવા છતાં પણ બીજે કઈ રસ્તે ન હોય, તે યતના પૂર્વક એક મહિનામાં બે અને એક વર્ષમાં ૯ થી વધારે વાર નદી ઉતરવી જોઈએ નહિં. તેનું પ્રાયશ્ચિત ભિન્ન ભિન્ન પ્રકારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy