SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૯૯ એ ત્રણ ભેદ સ્થાનાંગ ઠાણું ર-ના પ્રથમ ઉ. માં બતાવેલ મિથ્યાત્વ ક્રિયાના બે ભેદમાં આવી જાય છે. “અનભિગ્રહિય કુદિડી(ઉ. અ. ૨૮) આ શબ્દો પરથી આભિગ્રહિક અનભિગ્રહિક એ બે મિથ્યાત્વ લઈ શકાય છે. કુખ્યવયણપાર્સડી” (ઉત્ત-૨૩) તથા અનુગ દ્વારમાં કહેલ આવશ્યકના ભેદોમાં લૌકિક, કેત્તર અને કુમારચનિક ભેદ આવેલ છે. તેના ઉપરથી મિથ્યાત્વનાં પણ ઉપરોક્ત ત્રણ ભેદ બની શકે છે. અરિહંતાણું આસાયણએ” વગેરે જે ૩૩ પ્રકારની આસાતના આવશ્યક સૂત્રમાં બતાવી છે તે પરથી આસાતના મિથ્યાત્વ નીકળેલ છે. પ્રશ્ન ૧૩૮૩ –ચાર સ્પશી પુદ્ગલ પકડમાં આવી શકે છે શું ? પ્રકાશ અને છાયા ચાર સ્પશી છે કે આઠ સ્પશી છે ? ઉત્તર–ચાર સ્પશી પુદ્ગલ બાહ્ય સાધન વડે પક્કડમાં આવતા નથી. પ્રકાશ અને છાયા આઠ સ્પશી છે. પ્રશ્ન ૧૩૮૪–જે સાધુ રજિસ્ટ્રેશન કરાવે તથા લાયસન્સ રાખે તે તેને કો દેષ લાગે છે? ઉત્તર :–પ્રથમ તે સાધુ પિતાના નિયમાનુસાર રજીસ્ટ્રેશનને માટે ગૃહસ્થને વિનંતિપત્ર લખી શક્તા નથી. કારણ કે વિનતિ પત્ર એ દીનતા સુચક છે, દિનતાથી ભિક્ષાદિ લેવાનો પણ નિષેધ છે. લાયસન્સ ન આપતા તથા પુરી શરત ન સ્વીકારતા અનેક પ્રકારની દેડાદોડી, ખુશામત, લાંચ વગેરે અપાય એ સ્વભાવિક છે. ગૃહસ્થાને અહીં તહીં મેકલવા, તેમની મારફત લાયસન્સ મંગાવવું, તેમણે લાવેલું લેવું, પિસ્ટકાર્ડ કવર વગેરે રાખવા. અદાલતોમાં હાજરી આપવી ઈત્યાદિ અનેક દેનાં સમુહને ઉદ્ભવ થે દેખાય છે. આવી પ્રપંચમય સ્થિતિમાં સાધુનું સાધુત્વ કેવી રીતે સ્થિર રહી શકે ! કેઈ સાધુ પર કોઈને વિરોધ પેદા થવાથી વિધીઓ પ્રપંચ રચીને સાધુને ફસાવી પણ શકે છે. તેથી અદાલતના કેસમાં પડવું, સાક્ષી આપવા જવું, આ બધા કારણોથી પરિગ્રહધારી બનીને સાધુપણાથી હાથ ધોઈ નાખવા પડે. લાયસન્સની હમેશાં રક્ષા કરવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પ્રતિબંધ થશે જેથી વ્રત નિયમ કઈ રીતે સ્થિર રહી શકશે? 'ખાસ વાત તે એ છે કે, સાધુએ પ્રભુની આજ્ઞાને સ્વીકાર કરવાનું છે. લાયસન્સમાં તે રાજની આજ્ઞા પણ માનવી પડે. આવી સ્થિતિમાં દોષ તે શું પરંતુ મૂળ સંયમમાંથી પણ વંચિત રહેવા જેવી બાબત દેખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy