SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૫ છે, પરંતુ વિપાકસૂત્રના મૂલ પાઠની ભલામણથી તો પ્રથમ પસવાળી વાત બરાબર પ્રતિત થાય છે. પં. શ્રી ઘસીલાલજી મ.ના બનાવેલ વિપાકસૂત્રની ટીકામાં છયે જેને તે ભવમાં જ મોક્ષ થયાનું સ્પષ્ટરૂપે બતાવેલ છે. નંદીસૂત્રમાં દેવલેક આદિને જે પાઠ છે તે તે જે જે જ દેવલોકમાં ગયા તેમને માટે તે પાઠ હશે, એવું પ્રથમ પક્ષનું કહેવું છે. પ્રશ્ન ૧૩૭૪ --ઠાણાંગ ૧૦ માં, “સિદ્ધ વિઝા રિનો ઉલ્લેખ છે, ને કઈ રીતે સંગત છે? સિદ્ધ ભગવાનની તે સમગતિ જ જાણે છે, પછી આ વિગ્રહ ગતિ કેવી રીતે સમજવી? ઉત્તર :–વિગ્રહ અને અવિગ્રહ ગતિને પ્રસિદ્ધ અર્થ ઉપરાંત નીચેનો અર્થ પણ થાય છે. વિગ્રહગતિ-એક ગતિમાંથી બીજી ગતિમાં જનારા (વક તથા જુગતિથી વાટે વહેતાં) બધા જ વિગ્રહ ગતિવાળા અને જેઓ ઉત્પત્તિ ક્ષેત્રને પ્રાપ્ત થયેલા એટલે ત્યાં રહેનારા બધા અવિગ્રહ ગતિવાળા સમજવા. આ અર્થ ભગવતી શ. ૧૪, ઉ. ૫ થી તથા ઠાણુગ ૧૦ સૂત્ર ૭૪પ ની ટીકાથી થાય છે. જે ખૂબ જ આવકારદાયક પ્રતીત થાય છે. પ્રશ્ન ૧૩૭૫ –વિનયના ૭ ભેદમાં “લોકપચાર વિનય' ને અર્થ તથા ભાવ શું? ઉત્તર:–સ્થાનાંગસૂત્ર, સ્થાન ૮ (સૂ. ૫૮૫) ની ટીકામાં “વિનીયતે અષ્ટ પ્રકારે કર્મને નેતિ, વિનયઃ” આઠ પ્રકારના કને જેનાથી નાશ થાય તેને વિનય કહે છે. “લેકાનામુપચારે વ્યવહાર-સ્તન સ એવ વા વિન લોકપચાર વિનયઃ” આ વિનયને લોકો તે કલા, ધન, કામ વગેરેની પ્રાપ્તિ માટે કલાચાર્ય, નૃપ, વેશ્યા આદિ “અભ્યાસ વત્તિયં” વગેરે સાત પ્રકારના વિનય કરે છે. પરંતુ અહિંયા મોક્ષમાર્ગના પ્રવર્તક તે જે ઉપર કર્મનાશને અર્થ બતાવ્યું છે એ જ અર્થની સિદ્ધિ, જે શુદ્ધ-ચારિત્રિઓની સાથે અબ્બાસ વત્તિયં” (શ્રુતાથીય નહિ આચાર્યાદિ સમીપે આસિતવ્ય મિત્યર્થ) વગેરે સાત પ્રકારની વિનય પ્રવૃત્તિ કરવાથી થાય છે તેવી જ કરશે, અશુદ્ધોની સાથે નહિં. કલાચાર્ય વગેરેની સાથે જે “અબ્બાસ વરિય” વગેરે વિનય પ્રવૃત્તિ છે-જેમ કે અબ્બાસ વત્તિય” આદિ વિનયપ્રવૃત્તિ શુદ્ધ ચારિત્રીઓની સાથે થવાથી તેનું નામ લેકે પચાર વિનય કહેલ છે, પરંતુ પાસે રહેલાના વિચારમાં અંતર છે, તે બહાને મોક્ષમાર્ગ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી, સર્વથા અનુચિત છે. પ્રશ્ન ૧૩૭૬ –કેઈ દુરાચારી સાધુને ગૃહસ્થ પ્રાયશ્ચિત આપે, તો તે તેના અધિકારમાં છે કે નહિં? ઉત્તર –સંતિ એગેહિં ભિકબૂહિ, ગારસ્થા સંજમુત્તરા” ઉત્તરાધ્યયન અ. ૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy