SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ] સમર્થ–સમાધાન યુક્ત દેખીયે છીએ એવી જ રીતે વિસસા પણ દેખાય છે અને પચ્છમાં આવે છે શું ? ઉત્તર –વિસસા પરિણત પુદ્ગલમાંથી કેટલાક પુદ્ગલ દેખાય છે. જેમ કે તડકે, છાંયડે, વાદલ, વાદલરૂપ વૃક્ષ, ઈન્દ્રધનુષ, ઉદક-મસ્ય, જલકુંડ, વાયુકુંડ, વગેરે અનેક વિસસા પરિણત પુદ્ગલ પણ દેખાય છે. પ્રશ્ન ૧૩૬૭ –અજીવન ઉદયભાવ હે, એ પ્રજ્ઞાપના સૂત્ર પદ ૫ સૂત્ર ૧ ની ટીકામાં લખ્યું છે. સેંડલ સંપ્રદાયના પૂજ્ય શ્રી પુરુત્તમજી મહારાજે પણ કેટલાક વરસ પહેલાં, એમજ કહ્યું હતું, શું આ બરાબર છે? ઉત્તર:–અજીવને ઉદયભાવ હેવાનું જે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે તેને આશય એ છે કે, કર્મના ઉદયથી અજીવમાં (જીવ દ્વારા ગૃહિત અજીવ-જડરૂ૫ શરીરાદિ) થનાર ઔદારિક આદિ શરીર, નામ કર્મના ઉદયથી, પુદ્ગલ દ્રવ્યરૂપ અજીવમાં નિષ્પન્ન થવાથી અજીદય નિષ્પન્ન કહેવાય છે. જીવદય નિષ્પન તે સીધે જીવ પર અસર કરે છે. જેમ કે–નારક આદિ પર્યાય, અ દય નિષ્પન્ન એ જીવ પર અસર નથી કરતે. પરંતુ જીવાશ્રિત શરીર વગેરે પર અસર કરે છે. જેમ કે-શરીરને ગૌરવર્ણ થે, કાળે વર્ણ થવે, એ જ પ્રકારે શરીરમાં ગંધ વગેરે ઉત્પન્ન થવા. જે પુદ્ગલ જીવ આશ્રિત નથી, પણ કેવળ જડરૂપ જ છે, તેનામાં ઉદય ભાવ હોતે નથી. કારણ કે, ઉદય ભાવનું થવું એ, કર્મના ઉદયથી જ માનવામાં આવેલ છે. આનું સ્પષ્ટીકરણ અનુગદ્વાર ટીકા પત્ર ૨૧૪ માં તથા ભગવતી ભા. ૪ પૃષ્ઠ ૩૨ ના ટીપ્પણમાં છે. પ્રશ્ન ૧૩૬૮ –શું એ કેઈ નિયમ છે કે જે દિવસે (વાર) અષ્ટમી હોય, એ જ વારે (દિવસે) ૫ખી હેવી જોઈએ અને જે વારે ૫ખી હોય તે જ વારે અષ્ટમી હેવી જોઈએ? ઉત્તર–એકાંત એ કેઈ નિયમ નથી કે અષ્ટમી અને પખીને એક જ વાર હોય. કયારેક અષ્ટમી અને પખીને એકવાર આવી પણ જાય, અને કયારેક ન પણ આવે. પ્રશ્ન ૧૩૬૯ –શું કેઈ સ્થળે મોક્ષને આઠમી ગતિ પણ લખેલ છે? પંચમ ગતિ તે ધ્યાનમાં છે જ, અષ્ટમ (આઠમી) ને કયાંય ઉલ્લેખ હોય તે બતાવશે ? ઉત્તર–શ્રી પન્નવણુ સૂત્રના ત્રીજા પદમાં ૨૭ કાર ચાલ્યા છે, તેમાંના બીજા ગતિ-દ્વારમાં ગતિની અપેક્ષાએ, અલ્પ-બહત્વ બતાવેલ છે જેમાં પહેલી સિદ્ધ ગતિ સહિત, પાંચ ગતિની અને પછી સિદ્ધ ગતિ સહિત આઠને અલ્પ-બહત્વ બતાવેલ છે. આ પાઠ આ પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy