SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૮૫ તથા દશ વૈકાલિકનાં પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશામાં મદિરાપાન કરનાર વેષધારીને ચાર, કપટી જૂઠ્ઠો, ગુણ શૂન્ય, નિરંતર અસાધુ, દુર્મતિ, વિરાધક વગેરે કહ્યો છે. આ બધા પ્રમાણેથી સ્પષ્ટ છે કે શાસ્ત્રકારે માંસ અને મદિરાને સર્વથા નિષેધ કર્યો છે. - પ્રશ્ન ૧૩૪૩ –સ્વપ્ન કયા ઉદયથી આવે છે? તેરાપંથી અને સ્થાનક વાસી માન્યતામાં આ વિષયમાં શે મતભેદ છે? ઉત્તર :–સ્વન દર્શન જ્ઞાનાવણય અને દર્શનાવણ્ય કર્મનાં ક્ષાપશમથી થતું હેવા છતાં પણ મુનિદર્શન વગેરેથી સંબંધીત શુભસ્વપ્ન મોહનીય કર્મના ક્ષપશમથી તથા વિકાર સંબંધી વગેરે અશુભસ્વપ્ન મોહનીય કર્મનાં ઉદયથી થાય છે. તેરાપંથીઓ, ભગવાન મહાવીરે ભૂલ કરવી અને પ્રમાદનું સેવન કરવું, સ્વપ્નની ચર્ચાથી પણ સિદ્ધ કરવા માંગે છે. પરંતુ તેમનું કથન ન્યાયદષ્ટિથી સિદ્ધ થઈ શકતું નથી. તેનું વિશેષ સ્પષ્ટીકરણ સદ્ધર્મ મંડન પ્રશ્ન-૩૨૦-૩૨૧ અને ૩૩૧ માં કર્યું છે. પ્રશ્ન ૧૩૪૪ –ભગવતી સૂત્રમાં તીયચનિને માતૃસ્થાન ક્યા આશયથી કહ્યું છે? ઉત્તર –તીય ચ ની ઘણુ જીવેનું આશ્રય સ્થાન હોવાથી બધા જીવોની માતા સમાન છે. અહિંયા ગૌતમ સ્વામિએ એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવંત! એ કઈગતિમાં પાપકર્મનું ઉપાર્જન કર્યું હતું અને કઈ ગતિમાં પાપનું સમાચરણ [ પાપ કર્મના હેતુભૂત પાપક્રિયાનું આચરણ ] કર્યું હતું ? ઉત્તરમાં ભગવાને આઠ વિકલ્પ બતાવ્યા, જેમાં પહેલે વિકલ્પ બધા જ તિર્યંચનીમાં હતા અને ત્યાં જ તેઓએ પાપકર્મનું ઉપાર્જન અને સમાચરણ કર્યું હતું. આ પ્રથમ વિકલ્પની ઉપર જે નેટ છે, તેમાં નીચે પ્રમાણે ભાવ હવે જોઈએ. અમુક સમયમાં જે તીર્થંચ ગતિ સિવાય બાકીની નરક આદિ ત્રણ ગતિમાં જીવ હતા અને તેઓ કેટલાંક સમય પછી કેટલાક મેક્ષમાં અને કેટલાક રહ્યા તે તીર્થંચ ગતિમાં ચાલ્યા ગયા હોય અને કાલ-કમાગતા ત્રણ ગતિનાં સર્વે જીવે તીર્યચ ગતિમાંથી આવ્યા હોય એવા પ્રસંગમાં તે બધા જ તીર્ય નીમાં હતા એમ કહેવાય છે. તેમણે ત્યાં નરક ગતિ વગેરેના હેતુભૂત પાપકર્મનું ઉપાર્જન અને સમાચરણ કર્યું આ વાત પહેલા શતકના બીજા ઉદ્દેશામાં ત્રણગતિમાં ] બતાવતા શૂન્યકાળથી પણ પુષ્ટ થાય છે. તીર્થંચ ગતિમાં રહેલાં સર્વ જે ક્યારેય પણ નીકળી શકતા નથી, એટલા માટે ત્યાં શૂન્ય કાળ હેઈ શકતો નથી. આ પ્રશ્ન ૧૩૪૫ – કર્મ કયાં બંધાય અને કયાં ભેગવાય એ બાબતના ૬ બેલમાં એમ આવ્યું છે કે, તીય ચ, નરક અને દેવમાં, તે તે કેવી ફિતે હેઈ શકે? જ્યારે નરકને જીવ દેવલોકમાં અને દેવલોકમાંથી નરકમાં ઉત્પન્ન થતું નથી? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy