SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૪૭ ઉત્તર –ઉપાદાન કારણમાં, કાર્યરૂપે પરિણત થવાની શક્તિ અવશ્ય હોય છે. પરંતુ તેના વગર નિમિત્ત કારણ (સાધન પ્રાપ્ત કર્યા) માત્ર પોતે જ પોતાની શક્તિને વિકાસ કરીને, કાર્યરૂપે પરિણત થઈ શકતું નથી. ઉપાદાનમાં નિમિત્તની ઉપયોગિતા એ જ છે કે, તે ઉપાદાનની પિતાની શક્તિના વિકાસમાં સહકારી બનીને તેને કાર્યરૂપે પરિણુત થવામાં સહગ આપે છે. જેમકે--બીજ ઉપાદાન કારણ છે. વૃક્ષરૂપમાં પરિણત થવું તે તેની શક્તિ છે, તથા હવા, પાણી, ખાડો વગેરે તેના નિમિત્તે કારણે છે. હવા, પાણી તથા ખાડા વગેરેને ઉપયોગ એજ છે કે, તેઓ બીજની વૃક્ષ બનવાની શક્તિના વિકાસમાં સહકારી બને, તેને વૃક્ષ બનવાની શક્તિના વિકાસમાં સહકારી બને, તેને વૃક્ષ રૂપે પરિણત થવામાં સહયોગ આપે. પ્રશ્ન ૧૨૧૭-ઉપાદાનનું નિમિત્ત સહકારી કારણ છે, એ શું બરાબર છે! ઉત્તર –ઉપાદાનનું નિમિત્ત, સહકારી કારણ અવશ્ય છે. પરંતુ તુલ્ય સહકારી કારણ નથી. અર્થાત્ ઉપાદાનની પિતાની શક્તિ, કાર્યની સમાપ્તિમાં જેટલું સહગ આપે છે એટલે નિમિત્ત કારણ આપતા નથી. જેમકે –તીવ્ર બુદ્ધિવાળો બાલક ઉપાદાને કારણે છે, તીવ્ર બુદ્ધિ તેની શક્તિ છે, તથા અધ્યાપક, નિમિત્ત કારણ છે. અહિં બાળકની તીવ્ર બુદ્ધિ તેને વિદ્વાન બનાવવામાં જેટલી સહકારી છે તેટલે સહકારી અધ્યાપક નથી. પ્રશ્ન ૧૨૧૮ –એક દ્રવ્ય બીજા દ્રવ્ય પર પ્રભાવ પડે છે કે નહિં? ઉત્તર –જે દ્રવ્ય સમર્થ હોય અર્થાત્ જે દ્રવ્યની શક્તિ પૂરેપૂરી વિકસિત હોય છે, તેના પર બીજા સ્થલ દ્રવ્યે અસર કરતા નથી. પરંતુ જે દ્રવ્યની શક્તિ ઢંકાયેલી હોય છે તેના પર બીજા શકિતશાળી દ્રવ્ય, સૂક્ષમ ઉપરાંત સ્થલ, અસર પણ કરે છે. જેમકે પાકે ઘડો સમર્થ દ્રવ્ય છે, તેના પર પાણે તે ઘડાને ભીંજવવા સિવાય બીજી કઈ અસર કરતું નથી. પરંતુ કા ઘડે અસમર્થ દ્રવ્ય છે તેના પર પાણી ઘણું અસર કરે છે. અર્થાત્ તેને ગાળી નાખે છે. જીવ દ્રવ્યની બાબતમાં પણ આ જ વાત છે. જ્યાં સુધી તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બનવા સમર્થ ન બને ત્યાં સુધી તેના પર અજીવ દ્રવ્ય સૂમ અને સ્કૂલ બંને પ્રકારની અસર કરે છે. તેને બાંધી શકે છે, તેના પર સવાર થઈ શકે છે, દુઃખ દઈ શકે છે. ધક્કો આપી શકે છે. છેવટે પરવશ પણ બનાવી દે છે. પરન્તુ તે જીવ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની જાય પછી કઈ અસર કરી શકતા નથી. પ્રશ્ન ૧૨૧૯૯-મહાવ્રત અને અણુવ્રત ધારણ કરવાથી માત્ર શુભ ભાવનો લાભ મળે છે કે નિર્જરાનો લાભ મળે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy