SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ] સમર્થ–સમાધાન સંપત વિપત સુખી દુખી, મુઢ ચતુર સુજાણ I નાટક કર્મને જાણિયે, જગ નાના વિધાન || 1 || મનુષ્યની અપેક્ષા પશુ, પક્ષી, કીડી, પતંગ વગેરે આકાર-પ્રકારથી ભિન્ન હોવાથી આને પણ પરલેકમાં ગણ્યા છે. તિર્યંચ લેક તો મનુષ્ય લેકની જેમ પ્રત્યક્ષ પણ દેખાય છે. આ એક પરલોકની પ્રત્યક્ષતાથી અન્ય નરકાદિ પરલોકની પણ પ્રતીતિ થાય છે. સંક્ષેપમાં આ જ કહેવું છે કે કોઈ પણ દ્રવ્યનો કયારેય નાશ થતો નથી, કેવળ પર્યાય (અવસ્થાહાલત)માં જ પરિવર્તન થાય છે. જેમ કે–કહ્યું પણ છે કે – આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય ! બાળાદિ વય ત્રણનું જ્ઞાન એકને થાય છે ૧ / કયારે કઈ વસ્તુને, કેવળ હેય ન નાશ | ચેતન પામે નાશ તે કેમાં ભળે તપાસ ૧ // નારક પરતંત્ર છે. તેમાં અહિયા આવવાની શક્તિ પણ નથી. અને જે હોય તે આવવા પણ કેણ દે? દેવ, સુખમાં વ્યસ્ત રહે છે, આવવાનો વિચાર કરતા-કરતા જ અહિનું અલ્પ આયુ પૂર્ણ થઈ જાય છે. તથા ત્યાંને ને પ્રેમ જોડાયેલ હોય છે. ઈત્યાદિ કારણેથી પ્રાયઃ આવતા નથી, પરંતુ લોક તે પ્રત્યક્ષ તથા અનુભવ સિદ્ધ પણ છે. કેઈ–મેઈની પાસે આ યુગમાં પણ દેવ આવે છે, જેમકે–શ્રી ચુનીલાલજી મ. સા. તથા મહાસતી શ્રી પાનકુંવરજી આદિના પાસે આવ્યા પણ હતા. વર્તમાન યુગમાં પણ કઈ કઈ જીવને બાલ્યકાળમાં જ જાતિ મરણ થયું સાંભળવામાં આવે છે, જેથી તેણે પિતાના પાછલા ભવની વાત (દાટેલ-ધાદિ ) બતાવેલ આથી પણ પરભવની સિદ્ધિ થાય છે. આચારાંગનું પહેલું અધ્યયન, સૂત્રકૃતાંગનુ ૧-૧૨ અને ૧૭ મું અધ્યયન, રાયપસેણીના જીવ વિષયક પ્રશ્નોત્તર, આ બધા ટકાયુક્ત કે ટીકાનું ભાષાંતર હોય, તે તથા નંદી સૂત્રની જીવ વિષયક ટીકા તથા દ્રવ્ય સંગ્રહ, જીવવિચાર, પ્રમાણુ નય તત્વ લેકાલંકાર, સ્વાદુવાદ-મંજરી, પ્રમેયકમલ-માર્તડ, નય ચક્ર વગેરે ગ્રંથ પણ આના માટે જેવા લાભપ્રદ પ્રતીત થાય છે. પ્રશ્ન ૧૦૮૯ –અર્ધ-પુદગલ-પરાવર્તન કેને કહે છે? ઉત્તર –દારિક, ક્રિય વગેરે ૭ પુદ્ગલ પરાવર્તન ભગવતી સૂત્ર શ. ૧૨-૩૪ માં બતાવ્યા છે. દરેક પુદ્ગલ પરાવર્તનમાં અનંતકાળ-અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણું અવશ્ય લાગી જાય છે, પરંતુ બધાથી વધારે કાળ વકિય પુદ્ગલ-પરાવર્તન થવામાં લાગે છે. જેટલો કાળ ક્રિય પુગલ પરાવર્તનમાં લાગે છે, તેના અર્ધા કાળને અર્ધ પુદ્ગલ પરાવર્તન કહે છે. આ અર્ધપુદ્ગલ-પરાવર્તનની પણ અનંત ઉત્સર્પિણીઅવસર્પિણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy