SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૦૭ આ બધું રાજેન્દ્ર કેષમાં આમ જ છે. આપે ફરમાવ્યું કે જ. ઉ. અવગાહના વાળા તિર્યોમાં યુગલિયા નથી લેતા. મધ્યમમાં જ હોય છે અને ઉત્કૃષ્ટ અને મધ્યમ અવગાહના વાળા ત્રણ સામાયિક પામે છે, એવું આપે લખાવ્યું છે. તે મધ્યમમાં ત્રણ સામાયિક છે અને તેમાં યુગલિયા હોય છે, તો આ હિસાબે દષ્ટિ પરિવર્તન સિદ્ધ થાય છે, તો તે કેવી રીતે? ઉત્તર :–જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના વાળા તિર્યંચમાં સ્થિતિ “તિદ્દાળarat” ( ત્રિસ્થાન પતિત) બતાવી છે. આ બન્ને અવગાહનામાં યુગલિયા નથી. કેવળ સંખ્ય વર્ષ આયુ વાળા તિર્યંચ જ છે, ત્યારે જ સ્થિતિ તિÇણ બતાવી છે. આનું સ્પષ્ટીકરણ પન્નવણા પ માં પદમાં (રાજેન્દ્ર કેષ ભાગ ૫ પૃ ૨૧૯ માં આ વિષયક પાઠ અને ટીકા બને છે.) તથા ત્યાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા તિર્યંચમાં ૩ જ્ઞાન ૩ અજ્ઞાન આદિ બતાવ્યા છે, તે યુગલિયામાં ત્રણ લેતા નથી. આથી સ્પષ્ટ છે કે તે યુગલિયા નથી. જીવ જવાભિગમ, પન્નવણ પદ, ૨૧, ભગવતી શ. ૨૪ અને અનુગદ્વાર આદિમાં તિર્યંચની ઉત્કૃષ્ટ અવગાહના હજાર જનની બતાવી છે. આ રાજેન્દ્ર કેષના ભાગ ૩ પૃ. ૭૭માં પણ છે. પરંતુ અહિંયા તે ૬ ગાઉ (દેઢ જન) બતાવી છે, તે આ તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના નથી. હા, સ્થળચરમાં તો ઉત્કૃષ્ટ અવગાહના દોઢ જિનની બતાવી છે, આની અપેક્ષાએ સ્પષ્ટ રૂપે કહે તો વાત અલગ છે. મધ્યમ અવગાહનામાં યુગલિયા તે છે. પરંતુ કેવળ યુગલિયા જ નથી. એથી આનાથી ગુગલિયાઓની દષ્ટિ પરિવર્તન સિદ્ધ થતી નથી. જેમ એકેન્દ્રિયની ઉ. અવગાહના હજાર જનથી કંઈક વધારે બતાવી છે, જેમાં પૃથ્વીકાયાદિ પણ ભેગા છે. પરંતુ તે ઉત્કૃષ્ટ અવગાહના વનસ્પતિની જ છે, પૃથ્વીકાયાદિ ચારેયની નહિ. રાજેન્દ્ર કેષમાં તે તમારા લખ્યા અનુસારે જ છે. પરંતુ મહારાજશ્રીના ધ્યાનમાં ઉપરોક્ત પ્રકાર જ આવ્યું છે. પ્રશ્ન ૧૦૭૧ –સામાયિકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના બોલ બતાવશે ? ઉત્તર –સામાયિકને દ્રવ્ય-ભવ્ય જીવ, ક્ષેત્ર-ત્રસનાળી (અથવા-કેવળી સમુદઘાતની અપેક્ષાએ સંપૂર્ણ લેક) કાળ-ભવસ્થિતિને પરિપાક અર્થાત્ દેશન અંતર્મુહૂર્તથી લઈને દેશ-ઉણ અર્ધ પુદ્ગલ સુધી સંસાર બાકી વાળા જીવને, ક્ષેપિશમ વગેરે ભાવ. પ્રશ્ન ૧૦૭૨ –ભગવતી શ. ૧૪ ઉ. ૭ પ્રશ્ન ૧૦ મે, ભકત પ્રત્યાખ્યાન કરનાર અણુગાર મુઈિત યાવત્ અત્યંત આસક્ત થઈને આહાર કરે અને પછી સ્વભાવથી મરણાંતિક સમૂદઘાત કરે ને ત્યાર પછી અમૂછિત, અમૃદ્ધ અનાસક્ત ભાવથી આહાર કરે તેને શું અર્થ સમજ જોઈએ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy