SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ] સમર્થ-સમાધાન (૨) ભગવતી શ. ૨૨ માં “તાલ” વર્ગના ભેદમાં કદલીનું નામ પડ્યું છે અને આના મૂળથી લઈને બીજ પર્યત દશ ભેદોના ૧૦ ઉ. બતાવ્યા છે. તેમાં જીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે વગેરે દ્વાર બતાવ્યા છે. જેમાં મૂળાદિ પાંચ દેવ ઉત્પન્ન થતા નથી, અને પ્રવાલથી બીજ પર્યત ૫ માં દેવ ઉત્પન્ન થાય છે. આદિ વર્ણન છે. અહિં મૂળ પાઠથી કેળામાં બીજ અને તેમાં જીત્પત્તિ સ્પષ્ટ રૂપે બતાવી છે. તથા કેળામાં પ્રત્યક્ષ રૂપે બીજ લેવામાં પણ આવે છે. ધ્યાન પૂર્વક જેવાથી કઈમાં નાના અને કેઈમાં મોટા દેખાય છે. ઈત્યાદિ પ્રમાણેથી કે સચેત સિદ્ધ થાય છે. કોંકણુના કેળાના વિષયમાં જ કરવાથી જાણવામાં આવ્યું છે કે એક જાતિના કેળાને આઠ દિવસ તડકામાં સુકાવીને, પછી આઠ દિવસ છાયામાં સુકવીને અને પછી છાલ ઉતારીને ઘીની આંગળી લગાવી દે છે, પરંતુ ચાસણું પકવ નથી એથી આને પણ સચેત સમજવા. પાણીના બને પણ સચેત જ સમજ જોઈએ, કેમકે તે કેવળ પાણીનો જ બને છે. જે ગરમ પાણીને બનતે હેય, તો પણ બરફ તે અત્યંત ઠંડા થવા પર જ થશે. અને અત્યંત ઠંડા થવા પર અપકાયના જીવ પાછા ઉત્પન્ન થઈ જાય છે. જેમ ૩, ૪, અને ૫ પહેાર પછી, વર્ષા વગેરે ત્રણ કાળમાં, શીત (ઠંડી) વગેરેની તરતમતાથી ગરમ પણ પાછું સચેત થવું બતાવ્યું છે. અહિંયા મશીન વડે શીવ્ર ઠંડુ થવાથી જલદી ઉત્પન્ન થઈ જાય છે, એથી સચેત સમજ. પ્રશ્ન ૧૦૫૦ : -- અહે રાત્રી અને તિથિમાં શું ભેદ છે? ઉત્તર-સૂર્યથી બનેલી અહેરાત્રિ અને ચંદ્રથી બનેલ તિથિ હોય છે. ચંદ્રમંડળના ૬૨ ભાગ હોય છે, જેમાંથી ૨ ભાગ તે સદા નિત્ય રાહુના વિમાનથી અનાવૃત્ત અને શેષ ૬૦ ભાગ આવૃત્ત-અનાવૃત્ત થતા રહે છે. જેટલા સમયમાં ચંદ્ર મંડળના ૬૨ યા ૬૧ (બાસડીયા એકસઠ) ભાગની એક તિથિ થાય છે. એક તિથિ ૨૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬૨ યા ૩૨ ભાગની હોય છે. ૩૦ અહોરાત્રિની ૩૧ તિથિઓ થાય છે. આ રીતે તિથિ અને અહોરાત્રિમાં ભેદ સમજવું જોઈએ. પ્રશ્ન ૧૦૫૧ –કર્મ–પ્રકૃતિને અબાધા કાળ એક (ઉત્કૃષ્ટ) રૂપે જ બતાવ્યો છે. તેથી કમ (જઘન્ય) પણ થાય કે નહિ? ઓછો થાય છે તેના આયુનો અબાધા કાળા કેટલો છે? અને તેનું વર્ણન સૂત્રમાં કેમ નથી? કર્મ–પ્રકૃતિને અબાધા કાળ છે અથવા જઘન્ય પણ હોય છે, અને તે નિમ્નત પ્રકારે સમજ– પ્રજ્ઞાપના પદ ૨૩ ઉ. ૨ ની ટીકામાં જેટલા કેટા-કેટિ સાગરોપમની સ્થિતિ હોય, તેટલાં સે વર્ષને અબાધા કાળ છે. તથા એક કડાકોડની અંદર જે પ્રકૃતિની સ્થિતિ હોય તેને અબાધા-કાળ આયુ કર્મને છોડીને અંતમુહૂર્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy