SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ]. સમર્થ–સમાધાન - ભેગ અનુભવરૂપ સંવેદન જીવ દ્રવ્ય, અજીવ-દ્રવ્યનાં પર્યાનું સંવેદન કરી શકે છે, પરંતુ અજીવ-દ્રવ્ય કોઈ દ્રવ્યનાં પર્યાનું સંવેદન નથી કરી શકતા, કેમકે જીવ, ચેતનવાળો હેવાથી તેને જ પરિકતા માનેલ છે તથા અજીવ-દ્રવ્ય ચૈતન્ય રહિત હેવાથી તેને માત્ર પરિગ્ય જ માનેલ છે. જેવી રીતે દુર્બળ અને પંગુ પુરુષ, ચાલવાને માટે લાકડીનો ઉપભોગ કરે છે, તેવી જ રીતે જીવ-દ્રવ્ય ઈન્દ્રિય વગેરે રૂપ અજીવ-દ્રવ્યને જ્ઞાન વગેરેને માટે ઉપભેગ કરે છે. “અત્યન્તાભાવને અર્થ માત્ર એટલો જ છે કે એક દ્રવ્ય, બીજા દ્રવ્યના રૂપમાં, એક દ્રવ્યને ગુણ બીજા દ્રવ્યના ગુણના રૂપમાં તથા એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યના પર્યાય રૂ૫માં ત્રણ કાળમાં પણ નથી બદલતી. આટલા માટે જે જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યને ભેગ અનુભવ કરે, તે તેનાંથી “એક દ્રવ્યના પર્યાયમાં બીજા દ્રવ્યના પર્યાને અત્યન્તાભાવ છે. આ સિદ્ધાંતમાં કોઈ અડચણ નથી આવતી, કેમકે- જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યને ઉપભેગ કરે છે, તે તેનાંથી ન તે જીવ-દ્રવ્યમાં અજીવ-દ્રવ્યનાં પર્યાનું પરિણમન થાય છે અને ન તે અજીવ-દ્રવ્યમાં જીવ-દ્રવ્યનાં પર્યાનું પરિણમન થાય છે. પ્રશ્ન ૮૦૪ –જે બે દ્રવ્યમાં પર-ચતુષ્ટય ધર્મનાસ્તિ સ્વરૂપથી હાજર છે, તે બે દ્રમાં કર્તા-કર્મ સંબંધ બની શકે છે કે નહિ? જે બની શકે છે, તે કેવી રીતે અને નથી બની શકતે, તે કેવી રીતે? જવાબ જે બે દ્રવ્યમાં પર-ચતુર્થ્ય ધર્મનાસ્તિ સ્વરૂપથી હાજર છે, તે બે દ્રવ્યમાં કર્તા-કર્મ સંબંધ બની શકે છે. તેમાં જીવ-દ્રવ્ય કર્તા રહેશે અને અજીવ દ્રવ્ય કર્મ રહેશે. - કર્તા અને કર્મને સંબંધ નિમિત્તરૂપથી બને છે, ઉપાદાનરુપથી નહિ જેવી રીતે-જીવ-દ્રવ્ય કર્તા છે અને અજીવ (કર્મવર્ગણનાં પુદ્ગલ) કર્મ છે. કેમકેજીવ તેને કષાય તેમજ યેગથી કર્મરુપમાં પરિણત કરે છે. તથા તે કર્મવર્ગણાના પુદ્ગલ કર્મપથી પરિણુત થાય છે. જીવ અને કર્મવર્ગણાના પુદ્ગલેને આ કર્તા-કર્મ સંબંધ નિમિત્તરૂપથી છે, ઉપાદાન રુપથી નહિ. નિમિત્તરૂપથી સંબંધ એટલા માટે કે જ્યાં સુધી જીવ કષાય તેમજ વેગ પ્રવર્તન કરે છે, ત્યારે કર્મ-વગણનાં પુદ્ગલ, કર્મપથી પરિણત થાય છે. બીજી અયોગી અવસ્થામાં નહિ. તથા જ્યાં સુધી કર્મ-પુદ્ગલ કર્મરુપમાં પરિણુત થાય છે ત્યાં સુધી જીવ કષાય–ગ મુક્ત હોય જ છે, બીજી અગી અવસ્થામાં નહિ. ઉપાદાન રૂપ સાથે સંબંધ એટલા માટે નહિં કે- જીવ જ્યારે કષાય તેમજ ગપ્રવર્તન કરે છે ત્યારે જ જીવ કર્તાપમાં પરિણત થાય છે, પણ કર્મવર્ગણાનાં પુદ્ગલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy