SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] સમર્થ–સમાધાન પણ જુદાં થવાથી નિ જુદી ગણાય છે. વર્ણ વગેરેની વિભિન્નતાને કારણે (પન્નવણનાં પહેલા પદ પ્રમાણે) સાત લાખ વગેરે ભેદ માન્યા છે. વર્ણ વગેરેના સ્થૂળ ભેદની અપેક્ષા પૃથ્વી વગેરે ચારેનાં ૩૫૦ ભેદ છે. તેમાં વર્ણ વગેરેના સૂકમ ભેદ જાણવાને માટે સાડા ત્રણ ભેદોને ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ અને પ સંસ્થાનથી ગુણાકાર કરવાથી પૃથ્વી વગેરે ચારેનાં જુદા જુદા સાત લાખ ભેદ થઈ જાય છે. પ્રશ્ન ૭૪૩ –બંધની ૧૨૦ પ્રકૃતિ કઈ કઈ છે? અને ભેદ કેટલા છે? દેવ, નારક, તિર્યંચ અને મનુષ્યમાં કેટકેટલી મળે? જવાબ –કુલ ૧૪૮ પ્રકૃતિઓ છે, જેમાંથી ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને ૮ સ્પર્શ, આ ૨૦ પ્રકૃતિઓને કેવળ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચારે ભેદમાં જ સમાવેશ કરવાથી ૧૬ ભેદ બંધમાંથી ઓછા થયા. ૫ બંધન અને પ સંઘાતના આ ૧૦ પ્રકૃતિએને બંધ ૫ શરીરના બંધની સાથે બતાવવાથી આ ૧૦ ભેદ પણ બંધનમાંથી ઓછા થયા. એવી જ રીતે મિશ્રમેહનીય અને સમતિ મોહનીયનાં મિથ્યાત્વથી જુદા બંધ ન માનવાથી આ ભેદ પણ બંધમાં ઓછા થયા. આ રીતે કુલ ૨૮ (૧૬+૧+૨) પ્રકૃતિ-બંધમાંથી ઓછા માનવાથી બાકી ૧૨૦ પ્રકૃતિઓને સમુચ્ચય બંધ કર્મગ્રન્થમાં બતાવ્યા છે, ૩ નરકત્રિક (નરકગતિ, નરઅનુપૂવર, નરક આયુ) ૩ દેવત્રિક, ૨ કિયદ્રિક (વેકિય શરીર, ક્રિય અંગ ઉપાંગ) ૨ આહારકટ્રિક ૩ સૂફમત્રિક (સૂકમનામ, સાધારણનામ, અપર્યાપ્ત નામ) વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિયત્રિક, (એકેન્દ્રિયજાતિ, સ્થાવરનામ, આપનામ) આ ૧૯ પ્રકૃતિએને છોડીને બાકીની ૧૦૧ પ્રકૃતિઓનો બંધ નરકગતિમાં છે. જિનનામ અને આહારદ્ધિક છોડીને બાકીની ૧૧૭ પ્રકૃતિઓને બંધ તિર્યંચગતિમાં છે. મનુષ્ય ગતિમાં ૧૨૦ પ્રકૃતિઓને બંધ છે. નરકગતિમાં જે ૧૯ પ્રકૃતિઓ છોડી છે, તેમાંથી એકેન્દ્રિય ત્રિકને છોડીને બાકીની ૧૬ પ્રકૃતિઓને બંધ દેવગતિમાં નથી થતું, આથી ૧૦૪ પ્રકૃતિએને બંધ દેવગતિમાં સમજે જોઈ એ. પ્રશ્ન ૭૪૪-સાધુજી મહારાજને અહીંથી કેઈ દેવ, મહાવિદેહ ક્ષેત્રમાં હરણ કરીને લઈ જાય, તે તે વખતે ત્યાં રાત પડી જાય, તે ત્યાં આહાર -પાણી કરી શકે છે કે નહિ? (જે ભરત ક્ષેત્રમાં રાત્રિ છે અને મહાવિદેહ ક્ષેત્રમાં દિવસ છે તે આહાર કરી શકે છે કે નહિ ?) જવાબ :–ભારત ક્ષેત્રનાં સાધુને જે કઈ દેવ વગેરે મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય, તે તે મહા વિદેહ ક્ષેત્રના દિવસમાં જ આહાર કરી શકે છે, રાત્રિમાં નહિ. ભરતક્ષેત્રનાં રાતદિવસને હિસાબ ત્યાં વ્યવહારમાં નથી લેવાતે, એટલે કે સાધુનો જન્મ કે દિક્ષા ભરત વગેરે કોઈપણ ક્ષેત્રમાં થયા છે, પરંતુ તે જ્યારે જે ક્ષેત્રમાં હોય, ત્યારે તેણે ત્યાંના જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy