SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો | [ ૧૭૫ અપેક્ષાથી છે. નહિં તે પ્રત્યેક કષાયની ઉદય સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની જ છે. ઉપર પ્રમાણેનાં પ્રકારથી સંજવલન લેભની બંધ તેમ જ ઉદય સ્થિતિને ધ્યાનમાં લઈને વિચાર કરી લે. પ્રશ્ન ૬૪ર–પરદેશી રાજાને ૧૩ છટ્ટ (બેલા) એકીસાથે બે ઉપવાસ) હેવાનું કહેવાય છે, તે તેને શો આધાર છે? જવાબઃ–પરદેશી રાજાને ૧૩ છઠ્ઠનું પ્રમાણુ રાયપ્રસેણીમાં તે છે નહિ, અને ક્યાંક કથા-ગ્રંથમાં હોય, તે ધ્યાનમાં નથી. પ્રશ્ન ૬૪૩ –ગેચરી જતાં વખતે ગૃહસ્થ દ્વારા સચિત્ત પાણી વગેરેને સ્પર્શ થઈ જાય, તે તે ઘર અસૂઝતું થઈ જાય છે અને મુનિરાજ આહાર વગેરે લીધા વિના જ પાછા ફરે છે. આ દિવસ તે ઘર અસુઝતું જ મનાય છે. તે સમુદાયના કેઈ પણ સાધુ સાધ્વી તે દિવસે તે ઘરેથી આહાર નથી લેતા, તે આવો નિષેધ (મનાઈ) ક્યા આધારથી કરાયે? શાસ્ત્રીય આધાર જવાબ :– સાધુને હરાવવાનાં નિમિત્તથી સચિત્ત પાણીને સ્પર્શ વગેરે થઈ જાય, તે તે ઘર અસૂઝતું તે સંપ્રદાયને ત્યાં વિરાજી રહેલા મુનિઓને માટે સમજે છે, પરંતુ સતીઓને માટે નહિ, આ જ રીતે, તે ઘર સતીઓને અસૂઝતું થઈ જવાથી તે સંપ્રદાયના મુનિઓને માટે નહિ, સંત-સતીઓનાં આહાર-પાણીને સંગ ન થવાને કારણે આ જ રીતે અસૂઝતું ઘર થવાવાળા મુનિઓએ તે દિવસે વિહાર કર્યો હોય અને તે સંપ્રદાયના બીજા મુનિ તે જ દિવસે આવી ગયાં હોય, તો તે મુનિઓને તે ઘર અસૂઝતું. નથી રહેતું. તે દિવસે સંપૂર્ણ અસૂઝતાનું કારણ આ પ્રકારે ધ્યાનમાં છે-ગૃહસ્થને ત્યાં અસન વગેરે ૪ આહાર તૈયાર ન થયા હોય, પરંતુ થઈ રહ્યા હોય, એવું જે સાધુ જાણું લે, તે તરત જ પાછા ફરી જાય, પરંતુ ઘરમાં ન જાય. જે ત્યાં આહાર વગેરેને માટે જવાનું જરૂરી હોય, તે કંઈક દૂર એકાન્તમાં રોકાઈ જાય, અસન વગેરે ૪ તૈયાર થયા જાણીને પછી જાય-આવું આચારાંગના ૧૦મા અધ્યયનના ૪ થા ઉદ્દેશામાં છે. આ ઉપરથી આ વિચાર સમજમાં આવે છે કે – ગૃહસ્થ આરંભની શીવ્રતા (ઉતાવળ) કરી લેશે – આવી આશંકાથી મુનિ તરત જ પાછા ફરી જાય, તે પછી સાક્ષાત્ મુનિ વહાવરાવવામાં નિમિત્તથી જેની વિરાધના થવાથી તે મુનિ, તે દિવસે તેને ત્યાં તેનાં કે બીજાના હાથથી વહારે જ કેવી રીતે? આટલા માટે તે દિવસ જરૂર ટાળવું જોઈએ. પ્રશ્ન ૬૪૪–આ જ રીતે ગૃહસ્થના હાથમાં કઈ સચિત્ત વસ્તુ હોય અને તે વંદના કરે અને કહે: “પધારે, ચરીને લાભ આપે,” તેનું આટલું કહેવા માત્રથી તે ઘર અસૂઝતું થઈ જાય અને ત્યાંથી કંઈ પણ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy