SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાન પણ માનતા ન હતા) થેકડાના પુસ્તકમાં પણ રૈવેયકમાં પહેલું અને શું એ બે ગુણસ્થાન જ લખ્યા હતા અને સમાજમાં અધિકાંશ એ જ ધારણા ચાલી રહી હતી. પરંતુ જ્યારે ગુરૂદેવના ધ્યાનમાં ભગવતી સૂત્ર શ. ૧૩ ઉ. ૨ તથા શ. ૨૪ ઉ. ૧ નું વિધાન આવ્યું ત્યારે રૈવેયકમાં ત્રણેય દૃષ્ટિ પ્રમાણિત થઈ ગઈ. અર્થાત્ સાસ્વાદનમાં ૨૧૩ ભેદ માનવા ઉચિત છે. પ્રશ્ન પ૬૪–૫૬૫ ના જવાબમાં પણ એ જ પ્રમાણે સંશોધન થવું ઉચિત છે. મારુ આ સંશોધન પૂજ્ય શ્રમણ શ્રેષ્ઠના આ જ પુસ્તકના પ્રશ્ન ૭૧૩ ના જવાબથી સમર્થિત છે. પંક્તિ ૨૦ થી એ લખ્યું છે કે “કિન્તુ ભગવતીસૂત્ર વગેરેમાં ત્રણ દષ્ટિ બતાવી છે, એટલે ત્રણ દષ્ટિ જ માનવી એ જ યોગ્ય છે. (૪) પ્રશ્ન ૨૮૩ ના જવાબમાં સાડાનવ માસના સ્થાન પર સવાનવ માસ જોઈએ. (૫) પ્રશ્ન ૬૧૯ ના જવાબમાં “આ નમસ્કાર લીપીકર્તા તરફથી થયે છે. ગણધર મહારાજથી નહિ. એટલું વિશેષ સમજવું જોઈએ. આ પ્રમાણે સંશોધન કરવું આવશ્યક છે. રતનલાલ ડોશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy