________________
ઝળકે છે.
ધર્મની પરિભાષા ભક્ત જ્યારે પરમ ભાવદશામાં હોય છે ત્યારે જગત જેને ધર્મ કહે છે, ધાર્મિકતા કહે છે, તેનાથી ભિન્ન પ્રકારે પ્રવર્તન થતું હોય છે. જગતની ધર્મ વિષેની જે પરિભાષા છે તે પ્રમાણે તેઓ કરતા દેખાતા નથી. ક્રિયાકાંડ તેમની ભાવદશામાં બાધક બને છે. તેમની ભાવદશા વિધિ-નિષેધથી પર થઈ ગઈ હોય છે.
આ સંદર્ભમાં એચ. જી. વેલ્સ નામના પશ્ચિમના એક મોટા ઈતિહાસવિદ ગૌતમ બુદ્ધના સંબંધમાં કહેલું વચન યાદ આવે છે – “There has been nowhere such a Godlike man and so Godless.' - આવી વ્યક્તિ કદી ક્યાંય થઈ નથી કે જે આટલી બધી પરમાત્મા જેવી હોય અને છતાં અધર્મી હોય! અજ્ઞાનીની ધર્મની પરિભાષામાં તેઓ ધાર્મિક લાગતા નથી તેથી Goddess (અધર્મી, નાસ્તિક) પણ ભાવદશા તેમની ઘણી ઊંચી અને શુદ્ધ હોવાથી Godlike (પરમાત્મા જેવા)! તેઓ એક જુદી જ દૃષ્ટિથી જગતને નિહાળે છે. તેઓ સર્વમાં પરમાત્મા જ નિહાળે છે.
એક વાર કબીરજીને વેશ્યાને ત્યાં રહેવાનું થયું. લોકોએ વિરોધ ઊઠાવ્યો તો કબીરજીએ કહ્યું કે “જો વેશ્યાના અંતરમાં પરમાત્મા રહી શકતા હોય તો હું તેના ઘરમાં કેમ ન રહી શકું?.....'
વિચાર અને ભાવ આમ, ભક્ત એક જુદા જ સ્તર ઉપર રહેતા હોય છે. તેમની ભાવદશા ઘણી ઊંચી હોય છે. તેમની પરિણતિ એટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org