SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ મુખ્ય દર્શનશાસ્ત્રોનું તેમણે ગંભીરતાથી સૂક્ષ્મ અવલોકન કર્યું હતું. વેદાંત, સાંખ્ય, ન્યાય, બૌદ્ધ, જૈન આદિ પદર્શનનાં તત્ત્વને તેમણે નિષ્પક્ષ ન્યાયમૂર્તિની જેમ ન્યાયના કાંટે તોલ્યું હતું. પરિપૂર્ણ દર્શનની શોધ અર્થે, તત્ત્વવિચારણા કરવા તરફ સત્યતત્ત્વગવેષક, પરીક્ષાપ્રધાન, પરમ પ્રજ્ઞાતિશયવંત શ્રીમનું ચિત્ત વળ્યું હતું. પ્રદર્શનરૂપ મહાસમુદ્રનું મંથન કરી, તત્ત્વનવનીતની પ્રાપ્તિનું ભગીરથ કાર્ય તેમણે આદર્યું હતું. પરિણામે તેમના જીવનનો તેરમા વર્ષથી સોળમા વર્ષની વય પર્વતનો સમય ધર્મમંથનનો કાળ કહેવાય છે. આ સમયગાળામાં શ્રીમો પદર્શન અંગેની સૂક્ષ્મ ઉહાપોહ, તેમની મધ્યસ્થ પરીક્ષાપ્રવૃત્તિ તેમજ સમાધાનની નિષ્પત્તિ આદિ દષ્ટિગોચર થાય છે. તેમને કોઈ પણ મતદર્શનના આગ્રહ કે પક્ષપાત વિના સ્વચ્છ અંત:કરણથી પરીક્ષા કરતાં જૈન દર્શનનું પૂર્વાપર અવિરુદ્ધપણું સુપ્રતીત થયું અને વીતરાગમાર્ગની દઢ શ્રદ્ધા થઈ. શ્રીમદ્દની બાલ્યવયની જિજ્ઞાસાઓ, રાજરાજેશ્વર થવાની ઇચ્છાઓ, ત્યાગી મહાત્મા થવાના મનોરથો વગેરે જુદી જુદી દિશાઓમાં વહેતી વિચારધારા હવે આત્માર્થ ભણી વળી. આત્માની વિદ્યમાનતા, નિત્યતા, કર્મકર્તાપણું, કર્મભોક્તાપણું, મુક્તિ અને તે મુક્તિના ઉપાયની સાધના પ્રબોધનાર જિન દર્શનની અનેકાંતશૈલી ઉપર મુગ્ધ થઈ, તેને બુદ્ધિથી ગ્રાહ્ય કરી, તેમાં શ્રદ્ધાવાન થઈ, સાધનાના પંથે તે વિચારધારા આગળ વધી. આમ, કુમારવયમાં જ શ્રીમદ્રના વિચારો સુનિશ્ચિત અને પ્રગર્ભ, સુનીતિપોષક અને આત્મનિષ્ઠ, સંયમશીલ અને શ્રેયસાધક સ્વરૂપને પામ્યા હતા. તેમની શક્તિઓનો આધ્યાત્મિક વિકાસ થતો જતો હતો અને તેમના જ્ઞાનનો પ્રકાશ પ્રજ્વલિત થતો જતો હતો. તેમનું ચિંતન દઢ અને પરિપક્વ થતાં તે વિચારોને અક્ષરબદ્ધ કરી, અન્યને પણ તેમાં સહભાગી બનાવવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy