SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ અને તેનો મહિમા છે. અનિત્યભાવનામાં જીવન, યૌવન, પરિવાર, ઇન્દ્રિયજનિત સુખ આદિની ક્ષણભંગુરતા જુદી જુદી રીતે સમજાવવામાં આવી છે. લક્ષ્મીનો સદુપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. અશરણભાવનામાં કર્મોદયને રોકી શકાતો નથી અને માત્ર વીતરાગભાવ, સમતાભાવ જ શરણરૂપ છે એમ વર્ણવવામાં આવ્યું છે. સંસારભાવનામાં સંસારપરિભ્રમણનું સ્વરૂપ દર્શાવ્યું છે. પછી નરકના વર્ણનમાં નરકની ભૂમિના વર્ણનનો થોડો ભાગ અનુવાદિત કર્યો છે, બાકીના ભાગનો અનુવાદ થયો નથી. શ્રીમદે કરેલો આ અનુવાદ લગભગ શબ્દશઃ છે, પરંતુ વાંચનારને ભાગ્યે જ એમ લાગે કે તે અનુવાદ છે એવી સ્વાભાવિક સરળ ભાષામાં મૂળ લેખકનો વિચારપ્રવાહ વહી રહ્યો હોય તેમ તે લખાયેલ છે. જીવાજીવ વિભક્તિ' શ્રીમદે વીસમે વર્ષે “જીવાજીવ વિભક્તિ' શીર્ષક નીચે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩૬મા અધ્યયનના પ્રથમ બાર શ્લોકનો અનુવાદ કર્યો છે. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩૬માં અધ્યયનમાં જીવ અને અજીવ વચ્ચેનો ભેદ સમજાવ્યો છે. શ્રીમદે કરેલા બાર શ્લોકના અનુવાદમાં લોક-અલોક તથા અજીવના રૂપી અને અરૂપી ભેદનું વર્ણન આવે છે. તે પછી અજીવનાં લક્ષણો તથા જીવ વિષેની માહિતી આપતા બાકીના શ્લોકનો અનુવાદ થયો નથી. આ અનુવાદ જેટલો થયો છે તેટલો લગભગ શબ્દશઃ છે. સંયતિ ધર્મર શ્રીમદે વિ.સં. ૧૯૪૫ના વૈશાખ માસમાં ૨૨મે વર્ષે “શ્રી દશવૈકાલિક સૂત્ર'ના ચોથા અધ્યયનની ગાથા ૧ થી ૨૪નું તથા ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૬૪ (આંક-૨૪) ૨- એજન, પૃ.૧૮૫-૧૮૭ (આંક-૬૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy