SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ તેમાં પ્રયાસ કર્યો છે. ચિનોક્તમાર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના તેની કરી છે.” શ્રીમદે સુગમ રીતે મોક્ષનો માર્ગ બતાવવાના ઉદાર ઉદેશથી નવકારવાળીની જેમ ૧૦૮ પાઠરૂપ મણકા ધરાવનારી આ મંગલમયી “મોક્ષમાળા'ની રચના કરી હતી. એક પ્રૌઢ અનુભવી કેળવણીકાર પૂર્વે થઈ ગયેલા કેળવણીકારોના અનુભવ લક્ષમાં લઈ, પોતાના જમાનાની જરૂરિયાતો તથા ભાવિ જમાનાની જરૂરિયાતો ઉપર દીર્ઘ દૃષ્ટિ કરી, માનવસ્વભાવને લક્ષમાં લઈને માર્ગદર્શક ગ્રંથો ગૂંથે તથા શિક્ષણ પદ્ધતિ યોજે તેવી યોજનાથી શ્રીમદે મોક્ષમાળાની કલાપૂર્ણ સંકલના કરી છે. તેમણે “મોક્ષમાળા'ની પ્રસ્તાવનારૂપ શિક્ષણ પદ્ધતિ અને મુખમુદ્રા'માં આ પુસ્તકનું પ્રયોજન દર્શાવ્યું છે કે તેનો હેતુ મધ્યસ્થતાથી તત્ત્વજ્ઞાન અને શીલ બોધવાનો છે તથા ઊછરતા બાળ-યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે, તે ભષ્ટતા અટકાવવાનો છે. આવા જીવનસુધારક પુસ્તકનું અધ્યયન કેવી રીતે કરવું તે બાબત તેમણે ઉત્તમ શિખામણ આપી છે, જે કોઈ પણ ગ્રંથનો અભ્યાસ કરતી વેળાએ ઉપયોગી થઈ પડે તેવી છે. “મોક્ષમાળા'ના બોધપૂર્ણ પાઠોમાં શ્રીમદે જૈન ધર્મના વિવિધ વિષયોની સંક્ષેપમાં સમજણ આપી છે. તેમાં જૈન ધર્મના મહત્ત્વના સિદ્ધાંતો સાથે તેની ક્રિયાઓનું નિરૂપણ પણ થયેલું છે. ૧૦૮ પાઠમાંથી મોટાભાગના પાઠ ગદ્યમાં છે, અને થોડા પાઠ પદ્યમાં છે. કેટલાક પાઠ પ્રશ્નોત્તરરૂપે, સંવાદરૂપે કે કથારૂપે છે. “મોક્ષમાળા'માં પદે પદે શ્રીમદ્ગો વીતરાગ શાસન પ્રત્યેનો પ્રેમ ઉલ્લસે છે, વૈરાગ્ય વિલસે છે, નિષ્પક્ષપાત ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૬૩ (ઉપદેશનોંધ-૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy