SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ પાછળના દોહરામાં પોતાના અવગુણો દૂર કરવાની તથા ગુણોની પ્રાપ્તિ અર્થે પ્રાર્થના કરી છે. આ પ્રાર્થના ભાવનામય હોવાના કારણે ધ્યાન ખેંચે છે. આ પ્રાર્થના કર્યા પછી ધર્મ વિનાનો માણસ કેવો હોય તે શ્રીમદે જુદી જુદી ઉપમાઓ દ્વારા વર્ણવ્યું છે. ધર્મવિહીન મનુષ્યનું વર્ણન કર્યા પછી “મોક્ષસુબોધ' ગ્રંથ અપૂર્ણ રહેલો છે. કૃતિમાં પોતાનું નામ ગૂંથવાની પ્રાચીન શૈલી તેમણે જાળવી રાખી છે. આટલા નાના વિભાગમાં પણ તેમણે શાર્દૂલવિક્રીડિત, છપ્પય, દોહરા, કવિત આદિ વિવિધ છંદો પ્રયોજ્યા છે. મોક્ષમાળા “મોક્ષમાળા' દષ્ટાંતોથી ભરપૂર, સુમધુર ભાષામાં પ્રૌઢ ગંભીર શાસ્ત્રશૈલીથી ગૂંથાયેલો અપૂર્વ ગ્રંથ છે. તે કિશોરવયે લખાયેલો છતાં પરિણત પ્રજ્ઞાનો ગ્રંથ છે. જૈન ધર્મની પ્રવેશિકારૂપ ગદ્ય-પદ્યમાં રચાયેલો આ સમર્થ ગ્રંથ શ્રીમદે સોળ વર્ષ અને પાંચ માસની વયે માત્ર ત્રણ દિવસમાં વિ.સં. ૧૯૪૦માં લખ્યો હતો અને તે વિ.સં. ૧૯૪૪માં છપાઈને પ્રસિદ્ધ થયો હતો. તત્ત્વમંથનકાળમાં શ્રીમદે પ્રદર્શનનું જે મધ્યસ્થ, નિષ્પક્ષપાત પર્યાલોચન કર્યું, જિનાગમોનું જે ઊંડું અવગાહન કર્યું, તેનો પરિપાક આ દર્શનપ્રભાવક ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. “મોક્ષમાળા'ની રચનામાં શ્રી રેવાશંકરભાઈ જગજીવન ઝવેરીની પ્રેરણા અને શ્રી પોપટભાઈ દફતરીની વિજ્ઞપ્તિ નિમિત્તભૂત થયાં હતાં. શ્રી રેવાશંકરભાઈ “સૂક્ત મુક્તાવલી' નામનું પ્રાસ્તાવિક જૈન તત્ત્વપદોનું એક નાનું પુસ્તક વાંચતા હતા. તે પુસ્તકને અનુસરી તે પદો સરળ ભાષામાં લખાય તો સારું એમ ધારી તેમણે તે કામ કરવા શ્રીમને વિનંતી કરી. શ્રીમદે તે જોયું, પણ તેમને તેમાં સુધારા કરવાનું ઉચિત ન લાગ્યું, પરંતુ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૫૭-૧૩૨ (આંક-૧૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy