SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ કેટલીક અપૂર્ણતા અને અનિષ્ટો પણ તેમની નજર સમક્ષ હોવાથી તેમને ધર્મપરિવર્તનની ઇચ્છા થવા લાગી. પરંતુ તેમણે નિશ્ચય કર્યો હતો કે હિંદુ ધર્મને પૂર્ણ રીતે સમજ્યા પહેલાં હિંદુ ધર્મ ત્યજવો નહીં. આ આધ્યાત્મિક ભીડના સમયે તેમણે પોતાની શંકાઓ પત્ર દ્વારા શ્રીમદ્ સમક્ષ મૂકી. આત્મા, કર્મ, મોક્ષ, ઈશ્વર અને તેનું જગતકર્તુત્વ, વેદ, ગીતા, પશુયજ્ઞ, પુનર્જન્મ, ભક્તિ, વિશ્વનો પ્રલય, સર્પ કરડવા આવે ત્યારે શું કરવું? વગેરે ૨૭ પ્રશ્નો ગાંધીજીએ આફ્રિકાથી પત્ર દ્વારા શ્રીમન્ને પુછાવ્યા. શ્રીમદે ગાંધીજીને વ્યવસ્થિત, વિશદ, તર્કયુક્ત અને ધર્મનિષ્ઠ જવાબો આપ્યા. આ ઉત્તરો સાથે શ્રીમદે અભ્યાસ અર્થે કેટલાક ગ્રંથો જેમ કે “પંચીકરણ', “મણિરત્નમાળા', “યોગવાસિષ્ઠનું મુમુક્ષુ પ્રકરણ, પદર્શનસમુચ્ચય', “મોક્ષમાળા' વગેરે વાંચવાની ગાંધીજીને ભલામણ કરી. ગાંધીજીએ એ સર્વનું મનન કર્યું અને એથી તેમની મૂંઝવણ ટળી ગઈ અને સંતોષ થયો. શ્રીમન્ના સમયસરના માર્ગદર્શનથી ગાંધીજી ધર્માતર કરતાં અટકી ગયા. તે વિષે ગાંધીજીએ લખ્યું છે – “તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિંદુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એવો મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાબદાર થયા, એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેનો ખ્યાલ વાંચનારને કંઈક આવશે.' શ્રીમદ્ સાથેના પત્રવ્યવહારની ગાંધીજી ઉપર આવી કલ્યાણકારી અસર થઈ. શ્રીમદ્દનું આધ્યાત્મિક માર્ગદર્શન ન હોત તો ગાંધીજી આફ્રિકાથી માઈકલ' અથવા “મોહમ્મદ' થઈને પાછા આવત, પણ “મોહનદાસ' તો ન રહેત. શ્રીમદે ગાંધીજી ૧- શ્રી મુકુલભાઈ કલાર્થી સંપાદિત, “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી', પૃ.૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy