SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ આવ્યો હતો. ઘણી બાબતમાં કવિનો નિર્ણય-તુલના, મારા અંતરાત્માને-મારી નૈતિક ભાવનાને ખૂબ સમાધાનકારક થતો. કવિના સિદ્ધાંતનો મૂળ પાયો નિઃસંદેહ “અહિંસા' હતો. કવિની અહિંસાના ક્ષેત્રમાં ઝીણામાં ઝીણા જંતુથી માંડીને આખી મનુષ્યજાતિનો સમાવેશ થતો હતો. વિ.સં. ૧૯૪૭ના જેઠ મહિનામાં ગાંધીજી જ્યારે વિલાયતથી બેરિસ્ટર થઈને હિંદ પાછા ફર્યા ત્યારે મુંબઈમાં તેમનો ઉતારો શ્રીમદ્ગા કાકાસસરા ડૉ. પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતો. તે જ દિવસે શ્રીમ પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. તેમની ઓળખાણ કરાવતાં ડૉ. પ્રાણજીવનદાસે કહ્યું, કવિ છે, છતાંયે અમારી સાથે વ્યાપારમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે.” થોડી વાતચીતમાં જ ગાંધીજી શ્રીમન્ની પ્રતિભાથી અંજાયા, તેમના સ્નેહથી આકર્ષાયા. તેમનો વિલાયતનો પવન હળવો પડ્યો. જ્ઞાન માટે વિલાયત જવું પડે એ માન્યતા શ્રીમદ્ભા મેળાપથી દૂર થઈ. તેવીસ વર્ષની વયના શ્રીમની અવધાનશક્તિ, અદ્ભુત સ્મરણશક્તિ, નીતિમત્તા અને સંસ્કારિતા જોઈ ગાંધીજી તેમના ગુણાનુરાગી બન્યા. ભારત આવ્યા પછી ગાંધીજી વકીલાત અર્થે મુંબઈમાં જ રોકાયા હતા. ગાંધીજી મુંબઈમાં બે વર્ષ રોકાયા તે દરમ્યાન તેમને ખૂબ નવરાશ રહેતી હોવાથી વારંવાર શ્રીમની પેઢી ઉપર જઈ તેમને મળતા અને અનેક પ્રશ્નો પૂછતા, જેનું સમાધાન શ્રીમદ્ ઉત્તમ રીતે કરતા. ગાંધીજી આવા મેળાપના પ્રસંગોએ તેમની રહેણીકરણીનું બારીકાઈથી અવલોકન કરતા. જેમ જેમ તેમનો સંપર્ક વધતો ગયો, તેમ તેમ ગાંધીજીનો શ્રીમદ્ પ્રત્યેનો આદર વધતો ગયો. ઝવેરાતની પેઢી ઉપર બેસી હીરા-મોતીનો વ્યાપાર કરનાર શ્રીમદ્ભી રાગરહિત દશા જોઈને ગાંધીજીએ લખ્યું છે – ૧- મૉડર્ન રીન્યૂ', જૂન ૧૯૩૦ (ગુર્જરાનુવાદ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy