SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ છે. સંસ્કૃત ભણવાની શ્રીમન્ની આજ્ઞા થવાથી તેમણે પંડિતજી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો અને શ્રીમન્ની સ્તુતિરૂપે એક ભક્તિશ્લોક રચ્યો હતો, જેમાં તેઓ અહર્નિશ રટણ કરતા – 'महादेव्याः कुक्षिरत्न, शब्दजीतवरात्मजम् । राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकम् ।।' વિ.સં. ૧૯૪૬ થી વિ.સં. ૧૯૫૭ સુધી અગિયાર વર્ષ શ્રીમદ્ સાથેના તેમના સમાગમમાં પત્રવ્યવહાર નિરંતર ચાલુ રહ્યો હતો. શ્રીમદે લગભગ ૧૨૭ જેટલા પત્રો શ્રી અંબાલાલભાઈ ઉપર લખેલા છે, જેમાં ઘણાખરા પત્રો પ્રમાણમાં ટૂંકા છે, પણ ૧૫-૨૦ જેટલા પત્રો સુદીર્ઘ છે. શ્રી અંબાલાલભાઈ ઉપર લખાયેલા પત્રોમાં શ્રીમદે કેટલીક જગ્યાએ તેમને માર્ગદર્શન આપ્યું છે, તો કેટલીક જગ્યાએ પોતાની આંતરિક સ્થિતિ કે બાહ્ય પ્રવૃત્તિનો ઉપાધિયોગ દર્શાવી, પરમાર્થમાર્ગે મૌન રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત અનેક પરમાર્થવિષયો સંબંધી પણ વિચારણા થયેલી છે, જેમ કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું માહાભ્ય, સત્સંગનું દુર્લભપણું, કર્મની વિચિત્રતા, શ્રદ્ધાનું બળ, મુમુક્ષુનાં લક્ષણો, પ્રમાદ, જ્ઞાનદશા વગેરે. કેટલાક પત્રોમાં પ્રશ્નનું લંબાણથી નિરાકરણ પણ જોવા મળે છે, જેમ કે આઠ રૂચકપ્રદેશ, એકદેશઉણા ચૌદ પૂર્વધારી નિગોદમાં કઈ રીતે જાય, મુમુક્ષુતા ન જાગવાનાં કારણો, પંચ મહાવ્રતની મહત્તા વગેરે. આ બધા વિષે શ્રીમદે શ્રી અંબાલાલભાઈને માર્ગદર્શન આપ્યું હતું, જે શ્રી અંબાલાલભાઈની ઉચ્ચ પ્રજ્ઞા બતાવે છે. આમ, પત્ર દ્વારા પરોક્ષ સમાગમ અને શ્રીમન્ની નિવૃત્તિ દરમ્યાન પ્રત્યક્ષ સમાગમના કારણે તેમણે ટૂંક સમયમાં શ્રીમદ્ પોતાના પરમ ગુરુ તરીકે સ્વીકૃત કર્યા હતા અને પોતે તેમના દાસાનુદાસ દીન શિષ્ય બન્યા હતા. શ્રી અંબાલાલભાઈ ઘણા કાર્યદક્ષ, આજ્ઞાંકિત અને આત્મલક્ષી હતા. શ્રીમન્ની આજ્ઞા મુજબ તેમણે પોતાનો સમય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy