SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ પણ નિદ્રા ન લેતાં ગાથાઓની ધૂનમાં જ મગ્ન રહેતા. તેઓ ઓઢવા-પાથરવા આદિના બાહ્ય ભાવોમાં અત્યંત નિરપેક્ષ હતા અને યાચના પરિષહ, દંશમશક પરિષહ, સુધા પરિષહ, તૃષા પરિષહ, તૃણ-કંટક પરિષહ આદિ પરિષદો સમભાવે સહેતા હતા. તેઓ ઇર્યાસમિતિ આદિ સાચવી, અડવાણે પગે ચાલતા હતા તથા અદંતધોવન, અજ્ઞાનતા આદિ નિગ્રંથના પ્રસિદ્ધ બાહ્ય આચાર પાળતા હતા અને વનમાં નિર્ભય વનરાજની જેમ નિર્ભયપણે એકાકી વિચરતા હતા. તેમની દિનચર્યા ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે તેઓ ઉત્કૃષ્ટ કોટિની અપ્રમત્ત મુનિચર્યા આચરી રહ્યા હતા અને પરમ અસંગ વિદેહી દશા અનુભવતા હતા. અપ્રમત્ત યોગીન્દ્રોનાં આત્મપરાક્રમનું સ્મરણ કરી અપ્રમત્ત આત્મયોગની સાધના કરતાં હતા. તેમણે આહાર, નિદ્રા તથા મન-વચન-કાયાના યોગ ઉપર પૂરો સંયમ મેળવ્યો હતો. તેઓ એકાંત શુદ્ધ સંયમમાં વર્તતાં બાહ્યભાવનિરપેક્ષતા ધરી, પૂર્ણ અભ્યતર ભાન સહિત, પરમ અસંગ અવધૂત બન્યા હતા, દેહ છતાં દેહાતીત દશાએ વિચરતાં વિદેહી બન્યા હતા. આમ, શ્રીમદ્ભી અપ્રમત્ત ચર્યામાં તેમનું અભુત આત્મપરાક્રમ દેખાઈ આવે છે. ખેડા – ઉત્તરસંડાથી શ્રીમદ્ શ્રી મોતીલાલભાઈ સાથે ઘોડાગાડીમાં બેસી ખેડા ગયા હતા. ઘોડાને ચાબુક ન મારવો એવી ગાડીવાળા પાસે બોલી કરાવી પરમ દયાળુ શ્રીમદ્ ગાડીમાં બેઠા હતા. શ્રીમદે ખેડામાં ગામ બહારના બંગલામાં મુકામ કર્યો હતો. શ્રીમદ્ આ એકાંતચય વેળાએ ધ્યાનસ્થ અવસ્થામાં વિશેષ રહેતા. ફરવા જતા ત્યારે પણ ચિંતનમાં કે ધ્યાનમાં એટલા લીન રહેતા કે તેમને શરીરનું ભાન સુધ્ધાં રહેતું નહીં. એક દિવસ ફરવા જતી વખતે શ્રી મોતીલાલભાઈએ પોતાનાં નવાં પગરખાં શ્રીમની આગળ મૂક્યાં અને શ્રીમદે તે પહેરી લીધાં. ગાઉ દોઢ ગાઉ ચાલ્યા પછી એક જગ્યાએ શ્રીમદ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy